SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હોવા છતાં પણ ધર્માસ્તિકાયાદિક પદાર્થોની યથાર્થતાને પણ જાણી શકતું નથી તેથી તારી શ્રમણોપાસક્તા પણ કેવી ? પરંતુ અરિહંતનું તત્વજ્ઞાન સમજીને બેઠેલે શ્રાવક આમ બીજાઓથી ગાંજો જાય તેવું ન હતું માટે ખૂબ શાંત થયેલા શ્રાવકે તેમને પૂછ્યું કે - મદ્રક –હે આયુષ્યમંતે! પ્રત્યક્ષ ચાલતા એવા વાયુકાયના રૂપને તમે જોયું છે ? જાણ્યું છે? અન્યયૂ હે શ્રાવક ! વાયુકાયના રૂપને અમે જોઈ શકતા નથી. મક્ક -પુગલમાં રહેલે ગંધ શું ઘ્રાણેન્દ્રિય સાથે રહે છે? અન્યયૂ :-“હા” તે ગંધ ઘાણેન્દ્રિય સાથે રહે છે. મક્ક:-તે ગંધ ગુણને તમે પ્રત્યક્ષ જોઈ શકે છે? અન્યયૂ:-પવનથી આવેલા ગંધ ગુણને અમે જતા નથી. મક -અરણિકાષ્ઠમાં રહેલા અગ્નિને તમે જોઈ શકો છો? અન્યયૂ :-કાકગત અગ્નિને અમે જોઈ શકતા નથી. મદ્રક :-સમુદ્રના પેલા નાકે રહેલા અદશ્ય પદાર્થોને તમે જોઈ શકે છે? અન્યયૂ સમુદ્રના પેલા કિનારે વિદ્યમાન અદશ્ય પદાર્થો હોવા છતાં પણ અમે જોઈ શકતા નથી. મદ્રક –દેવલેકમાં રહેલા પદાર્થોને તમે જોઈ શકે છે? અન્ય→ ત્યાંના વિદ્યમાન પદાર્થોને અમે જોયા નથી. મદ્રક –હે આયુષ્યમંતે! હું અથવા તમે કે બીજા કોઈ પણ છસ્થ જે પદાર્થોને જાણવા કે જોવા માટે સમર્થ નથી, તેટલાં માત્રથી તે પદાર્થોને અભાવ શી રીતે માની શકીએ?
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy