SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૫ શતક ૧૮ મું ઉદ્દેશક-૫ અભયદાન દેવાવાળો, દાન કરનાર અને તપધર્મની આરાધના કરવાવાળો હોવાના કારણે જીવ માત્રને મિત્ર બનશે અને જે ઘણું જીને મિત્ર હોય છે. તેની પાસે જ રમણીયતા, દર્શનીયતા, પ્રશંસનીયતા હોય છે. માટે પહેલા દેવની બાહ્ય અને આત્યંત સુંદર હોય છે. જ્યારે મિથ્યાદર્શની આત્મા પાસે પાપમાર્ગોને કંટ્રોલ કરવાપણું ન હોવાથી સ્વાભાવિક છે તેનું બાહ્યજીવન અને આંતરૂજીવન હિંસક, દુરાચારી અને ભેગવિલાસી હોય છે. ફળ સ્વરૂપે ઘણું જીવેનું હનન કાર્ય કરતો હોવાથી ભવાંતરમાં મળનારી સંપત્તિઓ પણ ઓછા તેજવાળી બીજાને જેવી ન ગમે તેવી અલ્પ માત્રામાં મળે છે. આ પ્રમાણે ગૌતમ! પહેલા નંબરને દેવ જ્યારે આભૂષણે, વસ્ત્ર આદિને ધારણ કરે છે ત્યારે તે સૌને માટે દર્શનીય અને પ્રશંસનીય બને છે. વ્યવહારમાં પણ એક ભાગ્યશાળીના શરીર પર રહેલાં વસ્ત્રો, ભૂષણે અને ચરમા, ઘડીયાળ આદિ શંભી ઉઠે છે અને તેજ કે તેના જેવી વસ્તુઓ બીજાના શરીર પર ફિટ થતી નથી. માટે તેને જોવા માટે કોઈ તૈયાર નથી. પુણ્ય અને પાપના આ ચમકારા આપણાં જીવનની પ્રત્યેક પળમાં અનુભવાઈ રહ્યાં છે. માટે જૈન શાસને કહ્યું કે હે ભાગ્યશાલિન ! જ્યાં સુધી તમારા જીવનમાં પાપ માર્ગો બંધ થયા નથી ત્યાં સુધી પુણ્યમાર્ગોને કોઈ કાળે છેડશે નહી. ઉપર પ્રમાણેની વાત નાગકુમારના બે દેવે માટે યાવત સ્વનિતકુમાર દેવે સુધી જાણવું. ' બે નારકોની ગુરૂકમિતા શા કારણે ? એક જ નરકાવાસમાં ઉત્પન્ન થયેલા બે નારકમાંથી એક નારક જીવ મહાકમી અને મહાવેદના ભેગવો હોય છે અને
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy