SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ર શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ યુમે કેટલા છે? જવાબમાં ભગવંતે ચાર યુગ્મ કહ્યાં છે તે આ પ્રમાણે કૃતયુગમ, એજયુમ, દ્વાપરયુગ્મ અને કલ્યયુગ્મ. આ ચારે પારિભાષિક શબ્દો હોવાથી યુગ્મ અને એને અર્થ સંખ્યાવાચક જાણ. અન્યથા ગણિત શાસ્ત્રમાં યુગ્મ એટલે સમસંખ્યા (બે કી સંખ્યા) અને એજ એટલે વિષમ એકી સંખ્યા થાય છે. આ પ્રશ્નોત્તરમાં બંને સંખ્યાવાચક છે. ભાવાર્થ આ પ્રમાણે છે. સંખ્યા ચાહે લખી શકાય કે ન લખી શકાય તેટલી હોય પણ જેમાંથી ચાર-ચારની સંખ્યાને કમ કરતાં શેષ ચાર રહેવા પામે તે કૃતયુગ્મ કહેવાય છે. જેમ ૧૬-૩૨-૬૪-૧૨૮ આદિથી લઈ પલ્યોપમ કે સાગરેપમ પણ હેય પણ શરત એટલી જ છે કે તેમાંથી ચાર ચાર સંખ્યાને બાદ કરતાં શેષમાં ચારની સંખ્યા રહેવી જોઈએ. ઉપર પ્રમાણે જ ચાર ચારને ઓછા કરતાં શેષ ત્રણ રહે તે તે જ કહેવાશે જેમ ૧૫-૧૯-૨૩-૨૭ આદિ. શેષ બેની સંખ્યા રહે તે દ્વાપરયુમ કહેવાય છે. જેમ ૬-૧૦-૨૨ આદિ. એક શેષ રહે તે કલેજ કહેવાશે જેમ ૧૩-૧૭ આદિ. આ કારણે મેં કહ્યું કે આ ચારેને સંખ્યાવાચક સમજવા. નારકો શું કૃતયુગ્ય છે? જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમની અપેક્ષાએ ભગવંતે કહ્યું
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy