SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૧ ૪૧૧ ભગવંતને વંદના-પર્યું પાસના કરે છે, ધર્મોપદેશ સાંભળે છે અને પિતા પોતાના ઘરે જાય છે. ત્યાર પછી વિનયાવનત ગૌતમ સ્વામી પરમાત્માને વંદન નમન કરીને પૂછે છે કે હે પ્રભે ! પિતાના જીવત્વની અપેક્ષાએ જીવ પ્રથમ કે અપ્રથમ છે? બહુવચનને આશ્રય કરી જી પ્રથમ કે અપ્રથમ છે? સિદ્ધને જીવ કે જેને આશ્રય કરી પ્રશ્ન કર્યો કે તેઓ પ્રથમ છે કે અપ્રથમ? પ્રશ્નને આશય આ પ્રમાણે છે. ભવભવાંતરમાં અનેક ભવે કર્યા પછી પણ જીવ પ્રથમ છે કે અપ્રથમ? અર્થાત્ જેની ઉત્પતિ હોય તેની અપેક્ષાએ તે દ્રવ્ય પ્રથમ હોય છે અને જેની ઉત્પતિ ન હોય તે અપેક્ષાએ અપ્રથમ કહેવાય છે. જીવ કોઈ કાળે કોઈનાથી ઉત્પાદ્યન હોવાના કારણે પ્રથમ નથી, પરંતુ અનાદિકાળથી અનંતકાળ સુધી અનુત્પાઘ હોવાથી અપ્રથમ છે. આ કારણે ભગવંતે કહ્યું કે હે ગૌતમ! જીવ અને જી હંમેશાને માટે અપ્રથમ છે. અનંતાનંત જીવોમાંથી કયે જીવ કેનાથી પ્રથમ જન્મ્યો? આ પ્રશ્ન સર્વથા અસ્થાને છે, કેમકે જીવત્વ સદૈવ અજન્મા હોવાથી સંસારવતી બધાએ અનાદિકાળથી છે. આ માટે તેઓ અપ્રથમ છે. આની વિશેષ વક્તવ્યતાઓ, ૧૪ દ્વારે વડે કરવામાં આવી છે, તે આ પ્રમાણે જીવ, અનાહારક, ભવસિદ્ધિક, સંજ્ઞી, વેશ્યા, દષ્ટિ, સંયત, કષાય, જ્ઞાન, વેગ, ઉપયોગ, વેદ, શરીર અને અપર્યાપ્તિ . સિદ્ધના જીવ પ્રથમ છે કેમકે સિદ્ધત્વપદ કેઈ કાળે પણ પ્રાપ્ત ન હતું તેથી તેઓ પ્રથમ છે પણ અપ્રથમ નથી. | અનાહારક –અહીં આહાર વિનાના જીવે અનાહારક
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy