SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૭ મું ઉદ્દેશક-૨ ૩૯૩ માત્રને પિતાના ગજથી માપવા કરતાં સાપેક્ષવાદના ગજથી માપવાને આગ્રહ કરે. કેમકે તૃણથી લઈને સિદ્ધના જી સુધીને નિર્ણય કરવામાં સાપેક્ષવાદ સિવાય બીજા કોઈ પણ વાદથી યથાર્થ નિર્ણય કરે લગભગ અશક્ય જ છે. બેશક ! જીવ અરૂપી જ છે પણ તે દ્રવ્યાસ્તિકનયે અરૂપી છે, જ્યારે સંસારમાં રખડપટ્ટી કરનારે જીવ કર્મોના ચક્રમાં ફસાયેલું હોવાથી હર હાલતમાં પણ સંસારની ચાર ગતિના રાશી લાખ બજારમાં અવરજવર કર્યા વિના રહી શકે નહીં. આ કારણે કર્મોની વર્ગણ રૂપ પર્યામાં પૂર્ણ રૂપે વિંટાયેલા જીવના પર્યાયને નિર્ણય પર્યાયાસ્તિક નયે કર્યા વિના છુટકારો નથી. કેમકે સત્તામાં પડેલા કર્મો અવશ્યમેવ ઉદયમાં આવશે જ અને તે કારણે જીવના પર્યાયે પ્રતિ સમયે બદલાયા વિના રહેતા નથી. તેથી જે જીવ સકર્મક છે એટલે કે કર્મોના ભારથી દબાઈ ગયેલ હોય તેને સંસારના સ્ટેજ પર રૂપી બન્યા વિના શી રીતે ચાલી શકવાનું હતું કેમકે ત્રાણુનુબંધની બેડીમાં ફસાયેલા જીવને પોતાના બંધન ભેગવવાને માટે, માતાના રૂપમાં, પિતાના રૂપમાં, પતિના રૂપમાં કે સ્ત્રીના રૂપમાં પણ આવ્યા વિના ત્રાણાનુબંધને પણ શી રીતે ભેગવશે? માટે જે સકર્મક છે તે રૂપી છે. અરૂપી આત્માને કમેને બંધ કેવી રીતે થયો? - ત્રીજા વિશેષણને નિર્ણય કરીએ તે પહેલા એટલું જાણુ લેવું જરૂરી છે કે જીવાત્મા કેઈ દિવસે પણ અકર્મક હતું જ નહી. જે અકર્મક હોય તેને કર્મોને બંધ શી રીતે થશે? માટે અનાદિકાળથી જીવ સકર્મક જ છે માટે રૂપી છે. ખાણમાંથી - , , , , , ,
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy