SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હઈ શકતું નથી. જૈન શાસનને પામેલાં ઘણા ગૃહસ્થાશ્રમે કદાચ ગુરૂઓ પાસે વ્રત ન લઈ શકે, તે પણ તેઓ ઘણા ઘણા પાપમાંથી આજે પણ મુક્ત છે. જ્યારે કેઈ પણ જાતની વ્રત મર્યાદા વિનાના જીવોના જીવનમાં પાપના બધાએ માર્ગો ઉઘાડા છે, અથવા જે પાપ જ છે તેમને પાપ માનવા જેટલી પણ તેમનામાં જ્ઞાનશક્તિ નથી માટે હશે હશે તેઓ પાપરત દેખાય છે. તેમનાં ખાનપાનમાં, સ્નાન–પાણીમાં, વ્યાપાર-રોજગારમાં, ઊઠવા-બેસવામાં ક્યાંય પણ મર્યાદા નથી. આ કારણે સર્વથા પાપત્યાગ વિનાના છ જ એકાંતબાળ કહેવાય છે. પરંતુ શ્રમણોપાસકે એકાંતબાળ નથી પણ બાળપંડિત કહેવાશે. નારકથી લઈને ચાર ઈન્દ્રિય સુધીના છ સર્વથા બાળ જ છે. પંચેન્દ્રિય તિયચબાળ અને બાળપંડિત હોય છે, પણ સર્વવિરતિના અભાવમાં પંડિત હેતા નથી. મનુષ્ય પણ આ જ પ્રમાણે જાણવા. દેવે પણ પંડિત નથી. જીવ અને જીવાત્મા શું ભિન્ન ભિન્ન છે? હે સત્યદષ્ટ ભગવાન મહાવીર ! અન્ય યુથિકે (બીજા દર્શનવાળાએ) આ પ્રમાણે કહે છે કે-પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શનશલ્ય સુધી ૧૮ પાપસ્થાનકમાં વર્તમાન પ્રાણીને જીવ જૂદે છે અને જીવાત્મા જૂદ છે. જીવ અને શરીરને અનન્ય ભેદ માનનારા તેઓ કહે છે કે “ વાવતિ પ્રાળા ઘરથતીતિ નીવ:” આ ઉક્તિથી જીવ શબ્દને અર્થ શરીર લેવું જોઈએ કેમકે બંનેના ધર્મો જુદા હોવાના કારણે શરીરથી જીવાત્મા જૂદ છે. માટે શરીરને અધિષ્ઠાતા ચૈતન્યમય અને
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy