________________
શતક ૧૬ મુંઃ ઉદ્દેશક-૨
૩૩૯ જીને બંને હોય છે. કેવળ વહાનિરૂપ જરા દેવેને નથી, પરંતુ શરીર સંબંધી બીજા દુઃખે હેવાથી તેમને જરા પણ છે.
નોંધ:-જ્યાં સુધી જીવ સંસારી છે, ત્યાં સુધી દુઃખની પરંપરાથી બચી શકવાને નથી. તેમાં પણ જન્મ મરણના દુઃખની જેમ જરા અને શકના દુઃખે પણ અસહ્ય થતા હોય છે. “નાગરાજકોrvળાસા, જો ઘર સારमुवलब्भ करे पमायं."
અર્થાત્, જન્મ-જરા-મરણ–શક સંતાપ આદિ દુઃખાને નાશ કરવામાં પૂર્ણ સમર્થ જૈન ધર્મને પામીને કણ પ્રમાદ કરશે ? સારાંશ કે જૈન ધર્મની આરાધના કરનારના દુખે નાશ પામે છે. ઇન્દ્ર સંબંધી વિશેષ વકતવ્યતા
તે કાળે તે સમયે, હાથમાં વજ ધારણ કરનારા, દેવરાજ શક્રેન્દ્ર પિતાના દેવલોકમાં સંપૂર્ણ ઋદ્ધિસમૃદ્ધિ સહિત વિચરતા હતાં. એક દિવસ વિપુલ અવધિજ્ઞાન વડે જમ્બુદ્વીપને અવલેકતા, દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીને વિહરતા જોઈને ખુશ થયા છતાં હરિણગમૈષી દેવને બેલાવી તેની પાસે સુઘેલા નામે ઘંટા વગડાવે છે તથા પાલક નામના વિમાનમાં બેસીને ભગવંતને વંદન કરવા આવ્યા. ધર્મોપદેશ થયો, ત્યાર પછી ઈન્દ્ર ભગવંતને પૂછયું કે હે પ્રભે ! અવગ્રહ કેટલા પ્રકારે છે?
અવગ્રહની વકાચતા :
જવાબમાં ભગવંતે કહ્યું કે હે શક્રેન્દ્ર! મારા શાસનમાં અવગ્રહ પાંચ પ્રકારે કહેવાયા છે. તે આ પ્રમાણે –