SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૫ મું: ઉદ્દેશક-૧ ૩૦૭ કરી શકે છે? ભગવાન મહાવીરસ્વામીએ “હા”માં જવાબ આપતા કહ્યું કે, હે આનન્દ! ગૌશાળે તેમ કરવા શક્તિમાન છે, પરંતુ અરિહંત ભગવંતને ભમરાશિ કરી શકવાને નથી, કેમકે કેઈની પણ તે જેતેશ્યા કરતા તેવા પ્રકારના તપસ્વી મુનિરાજે વિશેષ શક્તિસંપન્ન હોય છે અને ક્ષમાપ્રધાન હોય છે. જે તપસ્તેજ અણગારમાં હોય છે તેના કરતાં સ્થવિર અણગારમાં અનંતગણું વધારે હોય છે, અને તેમના કરતાં અરિહંતેમાં અનંતગુણ વધારે હોય છે. કેમકે તેમના ક્રોધ કષાયો સર્વથા ક્ષય પામેલા હોવાથી, શાળાની શક્તિથી અરિહંતને શરીરપીડા વિશેષ સિવાય કાંઈપણ કરી શકવા માટે સમર્થ નથી. માટે હે આનન્દ ! તું જા અને ગૌતમ આદિ શ્રમણ નિર્ગથેને સૂચિત કરજે કે તમારામાંથી કેઈએ પણ ગૌશાળા સાથે ધર્મચર્ચા, વાદ કે તેમના મતનું ખંડન પણ કરવું નહી. કેમકે મિથ્યાત્વના પાપે ગોશાળે અત્યારે શ્રમણ નિગ્રન્થને વિધી થઈને બેઠો છે. ભગવંતની આજ્ઞા અને બનેલ પ્રસંગ આનન્દમુનિએ બધાને કહી દીધું. કોંધાધ ગોશાળાનું મહાવીર તરફ આગમન : તે સમયે મિથ્યાત્વથી ઘેરાયેલે ગશાળ હાલાહલા કુંભારણની દુકાનથી બહાર આવ્યા અને પિતાના મતાનુયાયીએની સાથે શ્રાવસ્તી નગરીના મધ્યભાગથી જ્યાં મહાવીરસ્વામી હતાં ત્યાં આવ્યા અને રેષપૂર્વક બે ભે-કાશ્યપ ! તું મને
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy