SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વર્તમાન ભાવ પૂરતું પિતાના આયુષ્યને ત્રીજો ભાગ જ્યારે શેષ રહે ત્યારે આયુષ્ય કર્મ બંધાય છે. જેમકે કઈ જીવનું ૩૩ વર્ષનું આયુષ્ય હતા તેમાંથી ૨૨ વર્ષ વીત્યા પછી શેષ ભાગના ૧૧ વર્ષ માં ગમે ત્યારે પણ આયુષ્યકર્મનું બંધન થશે અને છેવટે અંતિમ શ્વાસોશ્વાસમાં બંધાશે. અનંતપન્નક જીને તેવા પ્રકારના આયુષ્યબંધનના અધ્ય. વસાને અભાવ હોવાથી આયુષ્ય બાંધી શકતા નથી. અનંતરપરંપરા અનુત્પન્નક જી વિગ્રહગતિમાં હોવાથી તેમને ઉત્પાદ નથી, માટે આયુષ્યબંધન પણ નથી. જ્યારે પરંપરપત્રક જી આયુષ્યના ૬ મહિના શેષ રહે ત્યારે અને જઘન્યથી કેવળ અંતમુહૂર્ત શેષ હોય ત્યારે આવતા ભવને માટે મનુષ્યનું અથવા તિર્યંચનું આયુષ્ય બાંધે છે. પણ નરક કે દેવગતિના આયુષ્યબંધનની યેગ્યતા ન હોવાથી તેમજ દેવજીને પણ દેવ અને નરક આયુષ્યની યોગ્યતા ન હોવાથી બાંધતા નથી. આ પ્રમાણે અસુરકુમારોથી લઈને વૈમાનિક સુધી સમજી લેવું. પરંપરત્પન્નક જે તિર્યંચ અને મનુષ્ય છે તે ચારે ગતિનું બંધન કરે છે. આ પ્રમાણે નરકગતિમાંથી બહાર આવેલા નારકેને બીજા સ્થાને ઉત્પન્ન થવામાં એક જ સમય લાગે તે અનંતર નિર્ગત કહેવાય છે અને બે સમય લાગે તે પરંપરાત્પન્નક નારક કહેવાય છે અને જે નરકગતિમાંથી નીકળી ગયા છે પણ હજી વિગ્રહગતિમાં છે એટલે કે ઉત્પત્તિક્ષેત્રને પ્રાપ્ત કરી શક્યા નથી, તે અનંતર પરંપરક અનિર્ગત કહેવાય છે. આ શતક ૧૪નો ઉદ્દેશો પહેલો પૂર્ણ. }
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy