SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ નથી, માટે ચાલતા ધરતી ધ્રુજાવનારા હેય, મૂછ પર લીંબુ રાખનારા હોય કે હીરા મેતીનાં આભૂષણથી આભૂષિત હોય ઈત્યાદિ બધા જ યદિ મનુષ્યગતિમાં જન્મીને નરકગતિને ગ્ય કર્મો કરશે તે બધાંને નરકગતિમાં જતા કેઈ પણ રેકનાર નથી. મનુષ્ય કે તિર્યંચગતિને જીવે યદિ કાપિત લેશ્યામાં રમણ કરનારા છે તે ઉપર પ્રમાણેની સંખ્યામાં નરકમાં જશે. આ પ્રમાણે કૃષ્ણપાક્ષિક, શુલપાક્ષિક, સંજ્ઞી, અસંસી, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની (જેમાં ચતુર્દશ પૂર્વધારી અને અગ્યારમા ગુણઠાણના છાને પણ સમાવેશ છે.), અવધિજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રતઅજ્ઞાની, વિર્ભાગજ્ઞાની છે પણ ઉપરની જેમ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી નરકમાં જનારા સમજવા. નોંધ: સમ્યગ્દર્શનની સ્પર્શના આત્માને થયા વિના સમ્યફ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. માટે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી અથવા તેની હયાતી સુધી અથવા ત્યાંથી પતિત થઈને જ્યાં સુધી મિથ્યાત્વ ગુણઠાણે ન આવે ત્યાં સુધી કેઈ પણ જીવાત્મા નરકનું આયુષ્ય બાંધી શકતા નથી. ત્યારે આ ચાલુ પ્રશ્નોત્તરમાં સમજવાનું કે કોઈ જીવાત્માએ મિથ્યાત્વની અવસ્થામાં આરંભ–સમારંભને લઈને નરકાયુષ્ય બાધ્યું હોય અને પછીથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થયે છતે પણ તે જીવાત્મા નરકગતિમાં જઈ શકે છે. માટે જ કહેવાયું છે કે – શ્રેણિક જેવા તુમ ગુણરાગી, તે એ કર્મની બેડી ન ભાંગી.” અવધિજ્ઞાની દેવને જીવ દેવલેકમાંથી સીધે કારણભાવે નરકમાં જતો નથી, પણ મનુષ્ય કે તિર્યંચ જીવને તપશ્ચર્યાદિ કારણે અવધિજ્ઞાન થયું હોય તે પણ ચારિત્રગુણની શુદ્ધિના
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy