SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પૂછ્યું કે, “હે પ્રભે! આત્મા શું જ્ઞાનસ્વરૂપ છે? જ્ઞાન અને આત્મામાં શી ભિન્નતા છે? જ્ઞાન એ જ આત્મા છે કે અજ્ઞાન આત્મા છે? જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, “હે ગૌતમ! આત્મા કથંચિત્ જ્ઞાન સ્વરૂપ છે, પરંતુ જ્ઞાન તે સ્વયં આત્મા જ છે.” હે ગૌતમ! જમીનમાંથી નીકળેલા હિરાના પત્થર જેવો આમ અનંતાનુબંધી કોધ-માન-માયા અને લેભ અને મિથ્યાત્વના મેલ(કચરા)ના કારણે અનાદિકાળથી વ્યાપ્ત છે. અને જ્યાં સુધી તે કષાયોની હાજરી છે ત્યાં સુધી દર્શનમેહનીય કર્મની તાકાત કેઈકાળે પણ ઓછી થતી નથી. તેવી સ્થિતિમાં તે આત્મા મિથ્યાત્વી હોય છે, જે આત્મદ્રવ્યનો ક્રમ ભાવી પર્યાય કહેવાય છે. યદ્યપિ આત્માની સાથે અનાદિકાળને સહભાવી મિત્ર હોવા છતાં પણ અભવ્ય આત્માને છેડી બીજા આત્માઓ સાથે અંત સુધીને મિત્ર નથી, માટે તે મિથ્યાત્વ આત્માને સહભાવી ગુણ હોઈ શકે નહિ પણ કમભાવી પર્યાય છે. જ્યારે જ્ઞાન સહભાવી ગુણ હોવાથી નિગોદ અવસ્થાથી લઈ સિદ્ધ શિલાપર્યત પણ જ્ઞાન અને આત્મા જુદા હોઈ શકતા નથી. - દિવ્યશક્તિના સ્વામી સૂર્યનારાયણને પણ અષાઢ, શ્રાવણ મહિનાના વાદળાઓ એવી રીતે ઘેરી લે છે કે જેનાથી સૂર્યનાં કિરણે ૨-૪-૬ દિવસ સુધી લગભગ અદશ્ય રહે છે. પરંતુ જોરદાર પવનના ઝપાટે જ્યારે વાદળાંઓ ચલાયમાન થાય છે ત્યારે સૂર્યનારાયણ પિતાની અજબગજબ શક્તિથી તે વાદળાઓને સર્વથા છિન્નભિન્ન કરી, પતે આકાશમાં દેદીપ્યમાન થઈ જનતાને તથા આખા સંસારને પણ પ્રકાશમય બનાવી દે
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy