SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧) દ્રવ્યાત્મા, (૨) કષાયાત્મા, (૩) ગાત્મા, - (૪) ઉપયોગાત્મા, (૫) જ્ઞાનાત્મા, (૬) દર્શનાત્મા, (૭) ચારિત્રાત્મા, (૮) વીર્યાત્મા. હવે આપણે ભાવાર્થ જાણીએ. (૧) દ્રવ્યાત્મા જે અપરાપર પર્યાને તથા સ્વકીય અને પરકીય જ્ઞાનાદિ ગુણોને નિરંતર પ્રાપ્ત કરનાર તે દ્રવ્યાત્મા છે. “સતત-અધિજછતિ વૃતિ કારમા ” આ વ્યુત્પત્તિથી ઉપગ સ્વભાવી આત્મા પદાર્થોને નિરંતર જાણતા રહે અથવા જુદા જુદા પર્યાને લેતે જાય તેમ મૂકો જાય તે દ્રવ્યાત્મા છે. અથવા કષાયાદિ પર્યાને ગૌણ કરે ત્યારે શુદ્ધ દ્રવ્યરૂપ પિતાના સ્વભાવને પ્રાપ્ત થયેલ આત્મા તે દ્રવ્યાત્મા છે. દ્રવ્ય અને પર્યાનું મિશ્રણ જ સંસાર છે. તે કારણે જ સંસારનું કે તેને કોઈ પણ પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય છે ત્યારે તેને બે દષ્ટિથી જોવું જોઈએ. અને તે તે શબ્દથી ભાષાવ્યવહાર કરવો જોઈએ. કેમકે સંસારભરના અનંતાનંત પર્યામાં દ્રવ્યતત્વની વિદ્યમાનતા કોઈ કાળે અને કેઈનાથી પણ નકારી શકાતી નથી. તેવી રીતે કઈ પણ દ્રવ્ય પર્યાય વિનાનું હેઈ શકતું નથી. આ પ્રમાણે પદાર્થમાત્રમાં બંને ત (દ્રવ્ય પર્યાય) રહેલા જ છે ત્યારે તેમને બે દષ્ટિથી જોયા વિના છુટકે નથી. - એક દષ્ટિ છે દ્રવ્યાસ્તિક નયની. એટલે પદાર્થમાત્રમાં રહેલા પર્યાને ગૌણ કરીને કેવળ તેને દ્રવ્ય સંબંધી જ વિચારણા કરવી.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy