SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૨ મું: ઉદ્દેશક-૯ ૧૨૩ (૪) દેવાધિદેવ : ગૌતમસ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં દેવાધિદેવની વ્યાખ્યા સ્પષ્ટ કરતાં પ્રભુએ કહ્યું કે, “જેમનાં જીવનમાં પારમાર્થિક રૂપે ક્ષાયિકભાવે તથા સાદિ અનંત ભાગે “પરમાત્મતત્ત્વ પ્રાપ્ત થવાથી જેઓ અજન્મા થયા હોય, અથવા “સેવાનામપિ તેવા.” એટલે કે સામાન્ય જનથી પૂજાતા ભૂત, પ્રેત, રાક્ષસ, નાગકુમાર, બ્રહ્મદેવ, વ્યંતરદેવ, તિષ્ક દેવ આદિ કરોડો કરોડ દેવના પણ જે પૂજ્ય છે, દેવ છે તે દેવાધિદેવ કહેવાય છે. અથવા safi ધિ-ઉઘા રેવા: હેવાધિદેવા:” અર્થાત્ લેકોત્તર ગુણેના ધારક દેવાધિદેવ કહેવાય છે. જ્યારે સામાન્ય દેવે સંસારવતી હોવાથી લૌકિક કહેવાય છે કેમકે તેઓ ક્ષી મર્થરા વારિત . દેવગતિનું પુણ્ય ક્ષય થયે તેમને ફરીથી જન્મ લેવો સર્વથા અનિવાર્ય છે. જન્મીને પરણે છે, ભેગ વિલાસ માણે છે, વૃદ્ધ થાય છે, પાછા મરે છે. આ પ્રમાણે જન્મ જરા અને મૃત્યુના ચક્રાવે ચઢેલા હોવાથી સામાન્ય દે દેવાધિદેવને લાયક બનતા નથી. માટે જેઓએ તપશ્ચર્યા વિશેષથી કેવળજ્ઞાન મેળવેલું હોય તે જ દેવાધિદેવ કહેવાય છે. જેઓ સંસાર ત્રણે કાળના, ત્રણે લેકના અનંતપર્યાથી યુક્ત સંપૂર્ણ દ્રવ્યોને યથાર્થરૂપે જાણે છે, જુએ છે અને પ્રરૂપે છે તે અરિહંત, અહંતુ સર્વશ તીર્થકર આદિ નામે સબંધાય છે. (૫) ભાદેવ : આ ગૌતમસ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે, દેવગતિ, દેવાયુ અને દેવ આનુપૂવી નામ કર્મના કારણે અત્યારે જેઓ દેવત્વના પર્યાયને ધારણ કરી રહ્યા છે તે ભાવ
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy