SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તિર્યંચ અવતારમાં પરાધીનતા, અવિવેક, પૂર્વભવીય કુસંસ્કારના કારણે તે છે પણ દુઃખી છે. મનુષ્યાવતારને પામેલે જીવ પિતાની સત્કરણી અને સદ્વિચાર દ્વારા સગતિ અને અસભ્ય, હિંસક આદિ દુષ્ટ કરણીથી દુર્ગતિને માલિક જેમ થાય છે, તેવી રીતે પશુ અવતારને પામેલા છમાં પણ યદિ સંત સમાગમ, શુભ ભાવના કેળવીને પાપને, પાપ ભાવનાઓને સર્વથા છોડી દે અથવા છેડવા માટેની તાલીમ મેળવે અથવા અમુક પ્રકારના પાપોને જાણી બૂઝીને પડતાં મૂકી દે તે તે તિર્યંચે પણ સદ્ગતિના સ્વામી બની શકે છે. બીજા ભાગના પુસ્તકમાં જેમ આપણે જાણી શક્યા છીએ કે તિર્યંચે પણ દેશવિરતિ ધર્મને સ્વીકારી દેવકને કે મનુષ્યલેકને મેળવવા માટે ભાગ્યશાળી બને છે. અગણિત દષ્ટાંતે શાસ્ત્રનાં પાનાઓ પર સંગ્રહાયેલાં છે. જેમ કે ચંડકૌશિક નાગરાજ, હાથીના શરીરમાં રહેલે રૂપાસેનને જીવ, કાદંબરી અટવીમાં પાર્શ્વનાથ પ્રભુને પૂજતે મદોન્મત્ત હાથી, પરમાત્માની અક્ષતપૂજા કરતું કીર યુગલ, જટાયુ પક્ષી આદિ દષ્ટાંતે સૌની જીભ ઉપર રમી રહ્યા છે. આખી જિંદગીમાં શુદ્ધ શ્રદ્ધાપૂર્વક એક જ સામાયિક કરનાર શ્રાવક, એક જ દિવસની દીક્ષા પાળતે મુનિ, મેક્ષ કે દેવગતિ પ્રાપ્ત કરી શકતા હોય તે જીવનના છેલ્લા શ્વાસ પર્યત જૈન ધર્મની, પંચ મહાવ્રતધારી ગુરુદેવની અને દયાપૂર્ણ જૈન ધર્મની શ્રદ્ધા રાખનાર માટે શું કહેવાનું હોય? વાંદરા આદિની ગતિ હવે આપણે પ્રશ્નોત્તરને જોઈ લઈએ. ગૌતમસ્વામીજી
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy