SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કરોડ સાગરોપમ પછી ઉદયમાં શી રીતે આવ્યું? માટે કર્મોની બહુલતા જેમ સ્વીકાર્ય છે તેમ જન્માદિની બહુલતાને પણ માનવાની જ રહી. આ બધી ચર્ચાને ફલિતાર્થ એ જ છે કે અનાદિ કાળથી પરિભ્રમણ કરતા જીવે કેઈપણ જાતિ, સ્થાન, મૂળ, પેનિઆદિ શેષ રાખ્યાં નથી અને “પ્લે ગ્રાઉન્ડ”ના ફૂટબોલની જેમ આપણે આત્મા ક્યાંય થંભ્યા વિના રખડપટ્ટી કરી રહ્યો છે. પ્રત્યેક યોનિમાં જવાની અનંતવાર રખડપટ્ટી જિજ્ઞાસુ ગૌતમસ્વામીજીને સંબોધન કરતાં ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, “હે ગૌતમ ! રત્નપ્રભા નામની પ્રથમ નરકના ૩૦ લાખ નારકાવાસમાં આપણે જીવ કે જીવાત્માઓ તત્રસ્થ નારકની જેમ પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય રૂપે અનેકવાર કે અનંતીવાર જન્મી ચૂક્યા છે. અનેકને અર્થ બેથી લઈને અસંખ્યાતવાર સુધી, અને અનંત એટલે જે સંખ્યારૂપમાં ન ગણી શકાય છે. સાર એ છે કે આ જીવ પહેલી ભૂમિમાં પૃથ્વીકાયાદિ રૂપે અનેક અથવા અનંતવાર જન્મ્યો, મર્યો છે. બીજી પૃથ્વીથી યાવત્ સાતમી સુધી અને દેવલેક, ઈશાન દેવલેક સુધી અનેક કે અનંતવાર જપે, મર્યો છે. જ્યારે ત્રીજા દેવલકથી નવ વેયક સુધીમાં કેવળ દેવીરૂપને છોડીને બાકી બધાં રૂપે અનેક અથવા અનંતવાર જમ્યા છે. અને પાંચ અનુત્તરમાં દેવી રૂપે એકેયવાર અને દેવરૂપે અનંતવાર
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy