________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૫
બધાએ ઘોદધિની પ્રત્યેકની જાડાઈ ૨૦ હજાર જનની છે અને ઘનવાત તથા તનુવાત અસંખ્યાત હજાર એજનની. મોટાઈવાળા છે, નીચે નીચે મોટાઈ વધારે સમજવી.
અવકાશાન્તર માટે પ્રશ્ન હોવાથી પ્રભુએ કહ્યું કે, “તે અમૂર્ત હેવાથી વર્ણાદિ રહિત છે. પરંતુ તેનુવાત, ઘનવાત, ઘનેદધિ અને પૃથ્વીમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ છે, જ્યારે કર્મ પગલે સૂક્ષ્મ પરિણામવાળાં હોવાથી ચાર સ્પર્શવાળાં કહ્યાં છે. બાકીનાં બધાં બાદર પરિણામી હોવાથી તેમને આઠ સ્પર્શ છે. જેમાં જમ્બુદ્વીપ, લવણસમુદ્ર, ઐયિક, અનુત્તરે, ઈષત્ પ્રાગભારાપૃથ્વી, નરકાવાસે, અસુરકુમારાદિ દેવાવાસે આદિ બધાએ પુદ્ગલ-પરિણામમાં આઠ સ્પર્શ સમજવા.
નારક છે તૈજસ્ અને વૈકિય પુદ્ગલેની અપેક્ષાએ આઠ સ્પર્શવાળા છે અને કાર્મણ શરીરની અપેક્ષાએ ચાર સ્પર્શવાળા છે. કેમકે કામણ શરીર સૂમ પરિણામવાળા પુદ્ગલરૂપ હોય છે. યદ્યપિ જીવ અમૂર્ત—અરૂપી હોવાથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિના હોવા છતાં પણ અહીં શરીરની અપેક્ષાએ એ વાત કરી છે. આ પ્રમાણે અસુરકુમાર આદિ તથા પૃથ્વીકાયિક, અપકાયિક, તેજસ કાયિક, વનસ્પતિકાયિક અને વિકલેન્દ્રિોને પણ સમજવા.
મનુષ્ય પણ કામણ શરીરની અપેક્ષાએ ચાર સ્પર્શવાળે છે. શેષ શરીરની દષ્ટિએ આઠ સ્પર્શ સમજવા.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ વર્ણાદિ રહિત છે, જ્યારે પુદ્ગલાસ્તિકાય મૂર્ત હેવાના કારણે વર્ણાદિ સહિત છે.