SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૨ મું : ઉદ્દેશક-૫ ૮૩ નરકાદિમાં અસહ્ય વેદનાએ ભોગવતાં મગરનાં આંસુની જેમ કરેલા અક્સાસના જીવન વ્યવહારમાં વિશેષ અથ સરતા નથી. માટે જે સમયે જે સ્થાને પ્રાણાતિપાતના સંભવ રહે, મૃષાવાદને પ્રસંગ બને. ચૌય કર્મીની અનુકૂળતા આવે, મૈથુન કમ માટે એકાન્ત મળે, કે પરિગ્રહ માટે તમારી ચાલાકી સોળે કળાએ ખીલી ઊઠે તેવા સમયે આપણા આત્મા પેાતાના સ્વભાવમાં ( ઉપયાગમાં) જાગૃત થઈ જાય અને જબરદસ્ત પુરૂષાર્થ આદરીને પ્રાપ્ત થયેલાં પાપેાને લાત મારી દેતા પેાતાના સ્વભાવમાં થતા આત્મા પૂનાં પાપોને-કાંને પણ ખ'ખેરી નાંખવા સમ બને છે, તાફાન કરતા કાબુલી ઘેાડાને વશ કરવા માટે લગામચાબુક અને સવારની આવશ્યકતા અવશ્ય’ભાવિની છે, લગામ અને ચાબુક વિનાના સવાર ગમે તેવા જબરા હશે તેા પણુ ઘેાડાને વશ કરવા જતાં તે પેાતે જ પટકાઇ જશે અને હાડકાં તૂટતાં હોસ્પિટલને અતિથિ ખનશે. લગામ અને માણુસ હાય પણ ચામુક ન હેાય તેા પણ અમુક પ્રસંગે ઘેાડાને વશ કરવા જતાં પુરૂષને પરસેવા પણ આવી જાય છે. અથવા ચાબુક અને માણસ હાય તેા એ લગામ વિનાના ઘેાડાને વશ કરવાની કલ્પના સથા નિરર્થક છે. આ રીતે સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્રની ત્રિપુટી ભેગી મળશે ત્યારે જ આત્મારામને પેાતાના ઇષ્ટ સ્વાર્થ સાધતાં વાર લાગશે નહિ. પ્રાણાતિપાતાદિ ઘેાડાએ સાથે આત્માના સંબંધ ઘણા જૂને છે, છતાં પણ તેમના દુષ્ટ સ્વભાવ જાણવા માટે આત્માએ કોઈ કાળે પ્રયત્ન કર્યાં નથી. પરંતુ જ્યારે ત્યારે પણ પ્રાપ્ત થયેલા સમ્યગ્ જ્ઞાનથી પાપસ્થાનક રૂપી ઘેડાઓને ખરાખર
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy