SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દાન કરી શકે છે, તે જ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મોને એકેય અંશ જેમના આત્મામાં નથી તે પુણ્ય પુરૂષે જ સંસારને–તેના પદાર્થોને-તત્રસ્થ અનંત પર્યાને, જીવમાત્રનાં કર્મોને, તેમનીગતિ–આગતિઓને સર્વથા સત્યસ્વરૂપે જોઈ શકવા માટે પૂર્ણ સમર્થ હોય છે. આવા તીર્થકરેદેના વરદ હસ્તે જે ગણધર ભગવંતેના મસ્તક પર વાસક્ષેપ પડે છે, ત્યારે તેઓની આમિક લબ્ધિઓ પણ પૂર્ણ રૂપે વિકસિત થતાં જ આંખના પલકારે દ્વાદશાંગીની રચના કરવા માટે સમર્થ બને છે. મતલબ કે તીર્થકર ભગવંતેના શ્રીમુખે આર્થિકરૂપે પ્રસારિત થયેલી વાણીને ગણધર ભગવંતે શબ્દોમાં રચે છે માટે જ દ્વાદશાંગી સર્વશ્રેષ્ઠ છે, દેવપૂજ્ય છે, દાનને પણ માન્ય છે. તે દ્વાદશાંગીમાં ભગવતી સૂત્ર (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ–વિવા guત્ત) અતીવ વિશાળ છે, જેમાં જીવ માત્રના સમય અને સ્થાનની અપેક્ષાએ મુખ્યતયા ચાર જ્ઞાનના સ્વામી ગૌતમસ્વામીએ પ્રશ્નો પૂછયા છે અને દેવાધિદેવ મહાવીરસ્વામીએ જવાબ આપ્યા છે, જેમાં કોઈ પણ પ્રશ્ન અને જવાબ “ન pદડ્યું થાય ' એટલે કે “અત્યારે આ પ્રશ્નોને અવકાશ નથી, એમનું સ્પષ્ટીકરણ કરવા ગ્ય નથી.” એવી ભાષાને અવકાશ નથી, માટે અગમ નિગમના બધા પ્રશ્નોત્તરો આ સૂત્રમાં સંગ્રહાયેલા છે. આ કારણે ભગવંતની વાણી સાંભળીને પર્ષદા હર્ષ પામે છે. અર્ધાનત કે પૂર્ણાવનત થઈને પરમાત્મા દેવાધિદેવનાં ચરણેને સ્પર્શ કરે છે, તથા તે ચરણોની ભવાંતરમાં પણ ચાહના કરે છે. પ્રાણાતિપાતાદિમાં વદિ કેટલાં? ગૌતમસ્વામીએ પૂછયું કે, “હે પ્રભો! પ્રાણાતિપાત
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy