SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પેાતાના રાગદ્વેષથી ઉપાર્જિત શુભાશુભ નિયાણાંએને જ્યારે સમય પરિપાક થાય છે, એટલે કે જે જીવે સાથે આપણને રાગદ્વેષ! સટ્ટાબજારમાં સત્કર્માંના અને પુણ્યકર્માના જુગાર રમવાના હોય છે તે સમયે જ તે જીવ ઔદારિકાદિ શરીર ધારણ કરવા માટે માતાની કુક્ષિમાં આવે છે અને સંસારના સ્ટેજ પર આવીને પેાતાનાં રચેલાં માયાજાળનાં નાટકોને રમવાને પ્રારંભ કરે છે અને જ્યારે રામાયણ પૂરી થઇ કે આ ભાઈ સાહેબ પાછા કર્મોની જેલમાં કારાવાસના કેટ્ઠી થઇને ખીજા સ'સારમાં ખેલ કરનાર મદારીની જેમ ચાલ્યા જાય છે. ૬૮ નારકાના પુદ્ગલ પરાવત : • હું પ્રભા ! નારકોને કેટલા પુદ્ગલ પરાવના સાવ કહ્યો છે ? ’ ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું, ‘ તેમને ઉપર કહ્યા મુજબ સાત પ્રકારના પુદ્ગલ પરાવતાને સદ્ભાવ છે. તે અસુરકુમારાથી છેક વૈમાનિકા સુધીના દેવે માટે પણ જાણવા. · હે પ્રભો ! નારક જીવામાંથી એક એક નારકે કેટલા પુદ્દગલ પરાવતા કર્યાં છે? ' ‘હું ગૌતમ! ભૂત(અતીત)કાળ અનાદિ છે, જીવાત્મા પણ અનાદિ છે, અને જીવની સંસારદશા પણ અનાદિની છે. માટે એક એક નારકને આ પુદ્ગલ પરાવના અનંત થઇ ચૂકયા છે. ’ ભવિષ્ય માટેની વાત કહેતાં ભગવતે કહ્યું કે ‘જીવાત્મા દુરભિવક તથા અવિક હાવાના કારણે કેટલાક નારકોને પુદ્ગલ પરાવાને સદ્ભાવ હોય છે અને ખીજા જીવા જે નરકમાંથી નીકળીને મેાક્ષમાં જવાના છે તેમને નથી. તથા બીજાઓને જઘન્યથી બે, ત્રણ કે ચાર અને વધારે સંખ્યાત અસ ંખ્યાત કે અનંત થશે.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy