SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ] શ્રી સિદ્ધપદ ભેળાશંકર કહે, એટલું ય તમને યાદ નથી. તમે તો કહ્યું હતું રાવણ આવ્યું હતું અને સીતાનું હરણ થઈ ગયું લેકે હી પડ્યા. ભટ્ટજીને સમજાયું કે આ તે બિચારે સમજ્યા જ નથી. ભટ્ટજી કહે “ભલા! સીતાનું હરણ થયું એટલે સીતાજી કેઈ ચાર પગના જાનવર નહોતા બન્યા પણ “હરણ કરવું એટલે ઉપાડી જવું રાવણે સીતાનું હણ કર્યું એટલે ઉપાડી ગયા. એમ અર્થ હતો. આમ જે આપણેય કર્મવિષયક મોટી મોટી વાતો કરીએ. અને ભગવતીસૂત્ર આખુંય શ્રવણ કરી લે, તમે આ પ્રશ્ન કરો કે, “મહારાજ! કર્મો છે એ કેમ મનાય? ત્યારે આ સીતાના અને હરણની માતા જેવી વાત થઈ કહેવાયને! માટે આપણે કર્મ છે તે સાબિત કરવાનું છે. (૧) “ જગતની વિચિત્રતા અને વિવિધતા કેના કારણે ?” તમને આત્મા છે આ વાત તે બરાબર સમજાવી દીધી છે ઈશ્વર આ જગતને હતા નથી દુઃખ સુખને બનાવતે નથી અને બગાડતેય નથી પણ બતાવે છે અને તેના કાર નું જ્ઞાન કરાવીને સંસારથી બચાવે છે. - હવે વિચાર એ કરવાને છે કે કીડીથી માંડી કુંજર (હાથી) સુધીના બધાંય જીવ છે; તે એક જ સરખા પછી એક આત્મા કીડીના શરીરમાં કેમ અને બીજો આત્મા હાથીના શરીરમાં કેમ? વળી એક જ સરખી કીડીઓમાંય કોઈ મોટી તે કઈ નાની? હાથીઓમાંય એક રાજાને હાથી થાય હજારોથી પૂજાય ખાવા પીવાનું જરાય દુઃખ ન પડે અને બીજા હાથીને પેટ ભરવા માટે જંગલમાં અહીં
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy