SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] [ ૩૭ કારણ કે ‘ભ્રમ છે’ એવું જ્ઞાન તું કઈ ઈંદ્રિયથી કરે છે ભ્રમવાળા સ્થાને જ્યારે દ્રષ્ટ વસ્તુને જુએ છે ત્યારે તા તેને સાચી વસ્તુ ઇંદ્રિય દ્વારા દેખાય જ નહીં. જેમ રણમાં ગયેલે જ્યારે દૂરથી જીએત્યારે તેને દેખાવાનુ તેા પાણી જ. પણ તેને અનુમાનથી જ નક્કી કરવુ પડશે કે, ભલે આંખને પાણી દેખાતું હોય છતાં ય આ રણુ છે. માટે અહીં પાણીનેા સંભવ નથી. પાણી હોય તે કાઇ પશુ-પ`ખી ત્યાં હોય કે, ઝાડ–પાન હાય. પણ અહીં કશું જ નથી. અને આ રણ છે સૂચના પ્રકાશ રેતી પર પડી રહ્યો છે. માટે પાણી નથી પણ મૃગજલ છે. આવી રીતને વિચાર કરવા તેનું નામ જ અનુમાન અને એ અનુમાન માન્યા વિના બધાં બ્રમા દૂર થાય નહીં. માટે માનવું જ પડે છે કે, માત્ર પ્રત્યક્ષ પ્રમાણ માનવાથી ચાલી શકે નહીં. તેથી બધા જ દાર્શનિકે તેને પૂછે છે કે, ભાઈ! તું કાઇને તારા મત સમજાવવા ઈચ્છે છે ? ‘હા’, તેા કહે જ ને! એટલે બીજા દર્શનકારે તેને આગળ પૂછે છે કે શા માટે સમજાવવા ઇચ્છે છે ? " તેએ તારા મતને નથી જાણતા માટે કે તારા મતને જાણે છે માટે ?” “જો, જાણતા જ હેાય તેા સમજાવવાની જરૂરિયાત શું છે ? અને નથી જાણતાં એમ કહું તે તને નાસ્તિક દર્શનકારને પૂછવું છે કે, સામેવાળા તારા મત નથી જાણતા એ તે કેવી રીતે નક્કી કર્યુ ??” -
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy