SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] [ પરલ ના, આ ગતિ ઊર્ધ્વગતિ અવશ્ય છે અને આગળ સમજાવ્યું તેમ અસ્પૃશદ્ગતિ પણ છે. છતાં ય તે સ્વાભાવિક ગતિ ન કહેવાય. એટલે નિયમ એ બાંધવાને છે કે જે ઊર્ધ્વગતિ છે તે જીવની સ્વાભાવિક ગતિ જ છે તેમ નહીં પણ જીવની સ્વાભાવિક ગતિ તે ઊર્ધ્વગતિ જ છે. કોઈ વખત એવું પણ બને કે ભૂલથી પણ કોઈ દાખલાને જવાબ કેઈ સાચો આપી દે પણ તેથી તેને સ્વાભાવિક સાચું આવડે છે તેમ ન કહેવાય; પણ સ્વાભાવિક સાચું આવડતું હોય તેને જવાબ સાચે પડે તે નિયમ કરી શકાય. આમ આત્મા તુંબડાની જેમ સંસારના કિનારે પહોંચે છે. આના જેવું જ બીજું દૃષ્ટાંત છે. એરંડાના ફલનું. એરંડાનું ફલ જેમ પોતાનું બંધન તૂટતાં ઊડી જાય છે તેમ આત્મા પણ આ તમામ શરીરનો સંબંધ છૂટતાં પિતાની સ્વાભાવિક ઊર્ધ્વગતિને કારણે લોકોગ્રે પહોંચી જાય છે. પાંચે પાંચ શરીરે બંધન જ છે. આ શરીરમાંથી કોઈ પણું શરીર ધારણ કર્યું છે ત્યાં સુધી તેને તેની સ્વાભાવિક ગતિ પ્રાપ્ત થતી નથી. સ્વાભાવિક ગતિ તે કામણ શરીરને પણ નાશ થાય ત્યારે જ થાય અને કામણ શરીરનો નાશ થાય એટલે આવી સ્વાભાવિક અતિશયવંત ગતિને પામીને આત્મા અનંતકાળ માટે મોક્ષમાં સ્થિર થઈ જાય છે. આ બે દૃષ્ટાંતોથી એલું તે અવશ્ય સમજાય છે કે જેનામાં સ્વાભાવિક ઊર્ધ્વગતિ પરિણામ છે તે વિશુદ્ધ આત્મા સંગને નાશ થતાં કે બંધનને છેદ થતાં લેકા પહોંચે પણ આગળ વિચારતાં એ પ્રશ્નન થશે કે જે કર્મથી રહિત આત્મામાં સ્વાભાવિક ઊર્ધ્વગતિ છે તે શું સિદ્ધના આત્મામાં અત્યારે ઊર્ધ્વગતિ પરિણામ પેદા થયેલે છે પણ આળથી
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy