SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] [ ૪૮૫ પણ ફરક છે. ભાસર્વજ્ઞ નામના એક પંડિતે ન્યાયસાર નામનો એક ગ્રંથ લખ્યો છે. તેમણે ન્યાયદર્શનના પદાર્થોનું જ વિવરણ કર્યું છે. પણ મોક્ષનું લક્ષણ “નિત્યસુખ વિશિષ્ટ આત્યંતિક દરખધ્વસ” કરી ત્યાં સુખ સ્વીકાર્યું છે, પણ જ્ઞાન તે તે ભાસર્વજ્ઞએ પણ મુક્તિમાં સ્વીકાર્યું નથી. તેના મતે વળી ન દોષ ઊભે થવાને કે જ્ઞાન વિના સુખ ભગવાય કેવી રીતે ? એટલે કહે કે ભાસર્વજ્ઞએ મોક્ષના આત્મામાં સુખ તે માન્યું છતાં ય તેને આત્માને સુખી ન કર્યો. સુખને અનુભવસાક્ષાત્કાર જ્ઞાન વિના શક્ય જ નથી. ' સ્યાદ્વાદ મહાવાદ સિવાય બીજા બધા જ દર્શને બકવાદ અને તકવાદ છે. તેમનો કેટલે પ્રતિવાદ (જવાબ) કરે. ખરેખર તે તેમની જોડે અસંવાદ (ન બેલિવું ) તે જ તેમને પ્રતિવાદ છે. આ જ અમારા પ્રાચીન પુરૂપોનો પ્રવાદ (સલાહ) છે અને તેથી જ આપણે આ વિવાદને વાદ પરમેશ્વર જેવા સ્યાદ્વાદ (ન્યાયાધીશ) ને સેંપી સ્યાદ્વાદને જ હૃદયમાં પધરાવી આગળ વધીએ. - પરદર્શનીઓમાંથી કોઈએ સિદ્ધના આત્મામાં ક્ષાયિક શ્રદ્ધા–ક્ષાયિક સમ્યકત્વ, અનંતવીર્ય, અનંત કેવલદર્શન જેવા ગુણો માન્યા નથી. આ હકીકતને સ્પષ્ટ કરવા જ ટીકાકાર પૂ. અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ જણાવ્યું છે કે ભવ્યાત્મા વડે સિદ્ધના એકાદ ગુણ નહીં પણ અનેક ગુણોને સંદેહ એટલે સમૂહ પ્રાપ્ત કરાયો છે. જે દર્શનકારે સિદ્ધના આત્મામાં અનેક ગુણે જ માનવા તૈયાર ન હોય તેના આલંબનથી મોક્ષ પામી બીજા પણ અનેક ગુણોને સંદેહ પ્રાપ્ત કરે તેવું કેવી રીતે બને?
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy