SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] [૪૫ ઊતરી cતય ! પાંચે ય પરમેષ્ઠી પદમાં નિર્વિવાદ રૂપે સૌને યોગ્ય પ્રદ પ્રાપ્ત જ છે. તો પછી આ પદ કેમ જીવનના શ્વાસોચ્છવાસમાં વણાઈ ન જાય ! અભવ્યનો આત્મા સિદ્ધત્વ પયોવાળ ખરે કે નહીં. પ્રશ્ન :- આપે કહ્યું કે દરેક આત્મામાં સિદ્ધત્વ પર્યાય અપ્રગટરૂપે પણ હોય છે તે શું અભવ્યના આત્મામાં પણ આ પર્યાય હાય ખરો ? જવાબ :- નિકટ ભવ્ય; અભવ્ય જાતિભવ્ય કે દુર્ભવ્ય ગમે તે આત્મા હોય પણ જે આત્મા છે તે સિધત્વપર્યાય વાળ જ છે ભલે પછી એ અનંતકાળ અપ્રગટિત રહે. પછી પ્રગટિત થાય કે કદી ય પ્રગટિત જ ન થાય. પણ તે પર્યાય તો તેમાં છે જ. સિધ્ધત્વપર્યાય તેમનામાં અપ્રગટિતપણે નથી એમ માનીએ તે તે ઉલ્ટી આપત્તિ આવે. યાદ કરો કે સિદ્ધત્વપર્યાય પ્રગટ કોનાથી થાય છે? આઠેય કર્મના ક્ષયથી, તેથી એટલું તો નકકી જ થયું ને કે આઠેય કર્મો જ સિધ્ધત્વરૂપ પર્યાયને દબાવે છે. જે અભવ્યના આત્મામાં આ સિદ્ધત્વરૂપપર્યાય હાય જ નહીં તે આઠેય કર્મો કોને રોકે ? ભવ્યના સિદ્ધત્વપર્યાયને આઠેય ક રેકે અને અભિવ્યના સિધ્ધત્વપર્યાયને ન રે આમ બને ખરું? તમને થાય કે જે દી પ્રગટ થવાના જ નથી તેને માનીને કરવાનું શું ?
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy