SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૫ વિવેચન અવસાનનો અર્થ થયો મરણ; અંત કે નાશ જૈનશાસનની દૃષ્ટિએ જુના પર્યાયને ત્યાગ અને નવા પયોગની ઉત્પત્તિ. આજ અવસાન શની આગળ “અ” અને “પરિ લાગ્યા છે તેમાં પરિ એટલે ચારે તરફથી અને “અ” એટલે નહીં ચારે તરફથી જેને નાશ નથી તેવી સ્થિતિવાળા હોવાથી આટલા લાંબા અર્થને કહેવા માટે સંસ્કૃતમાં “અપર્યવસાન સ્થિતિકત્વાતૃ’ એટલું બોલીએ તે ચાલે. સિધ્ધનો અર્થ તે અહીં નિત્ય જ કરવાનો છે. પણ સિધ્ધો નિત્ય કેમ છે? તે પ્રશ્નનો જવાબ હેતુ આપીને જણાવવામાં આવ્યો છે કે અપર્યાવસાનસ્થિતિકત્વાત તમે આટલી આટલી શાસ્ત્રીય વાતો સાંભળ્યા બાદ ડું તે હવે સમજતા થયા હશે ને? જરા વિચાર કરો તે પ્રશ્ન થશે કે જૈનશાસનની દષ્ટિએ તે આત્મા ધર્માસ્તિકાય–અધર્માસ્તિકાય-આકાશ–પુદગલ અને કાળને જુદા ગણીએ તે કાળ, આ છએ દ્રવ્ય નિત્ય જ છે. પછી સિધ્ધને આત્મા પણ આત્મા છે તો તેને નિત્ય કહેવાની જરૂર જ ગી? પદાર્થ માત્ર નિત્ય તો છે જ, પણ અહીં એ વાતને લાસે કરવા માટે જ ટીકાકારે હેતુ મુક્યો છે “અપર્યવસાન-સ્થિતિકત્વાત' એ સીધું સિધ્ધના આત્માનું વિશેપણ નથી સમજવાનું પણ સિધત્વરૂપ પર્યાય દ્વારા આત્માનું વિશેષણ સમજવાનું છે. આત્માથી માંડીને કાલ સુધીના દ્રવ્યો નિત્ય છે તે દ્રવ્યના ધ્રૌવ્યાંશની અપેક્ષાએ જયારે ટીકાકાર અહીં સિધ્ધના આત્માને નિત્ય બતાવવા માંગે છે તે આત્માના આત્મ દ્રવ્યના ધ્રૌવ્યપણાને લઈને જ નહીં પણ
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy