SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] [ ૩૭૯ એક વખત કામ કરીને બીજી વખત કરે એટલે સારું જ થાય. અને આમ કરતાં-કરતાં તો એટલી બધી નિપુણતા માણસ પ્રાપ્ત કરી લે છે કે આકાશમાં ઉછાળેલું મતી પાછું પડે ત્યારે પાસે ઉભેલા ભુંડના વાળમાં પરેવાઈ જાય. આવી ક્રિયાઓ કંઈ પહેલેથી જ ન આવડે પણ જેમ જેમ અભ્યાસ થતો જાય તેમ તેમ અંગે ટેવાતા જાય, અને ક્રિયાઓ બરાબર અને અચૂક થતી જાય. દેરડી પર નાચનારાઓ પહેલેથી જ કંઈ તે ક્રિયાઓ જાણતા નથી હોતા, પણ અભ્યાસ કરતાં-કરતાં તે કળામાં નિપુણ થઈ જાય છે, અંગ્રેજીમાં ય કહેવાય છે કે પ્રેકટીસ મેઈકસ એ મેન પરફેકટPRACTICE MAKES A MAN PERFACT અભ્યાસથી વારંવાર એકનું એક કામ કરવાથી માણસ તે કામમાં પૂર્ણતા પ્રાપ્ત કરે છે. આવી કહેવત પડી છે તે આ બુદ્ધિન અંગે જ. “મારાથી સારું કામ થતું નથી” તેવા બહાના હેઠળ છટકી જનારા હજામ” છે. સમજવું જોઈએ કે એક જ વખત કામ કરવાથી કંઈ નિપુણતા મળતી નથી. માટે પૂરે અભ્યાસ કર્યા પછી ન આવડે તે જ ફરિયાદ કરવી જોઈએ. કામને હરામ સમજનારા અને આરામને સુખધામ સમજનારાઓમાં આવી કામિંકી બુધિ પેદા થતી નથી. કાર્મિકી બુદ્ધિના અથીએ, બુધ્ધિ સિધ્ધ કરવાની ભાવનાવાળાએ વારંવાર અને સતત્ અભ્યાસ ચાલુ રાખવું જ જોઈએ. પારિણુમિકી બુદ્ધિ ટપલા પડે એટલે આંખે ઉઘડે” અને “ઘરડા વિના ગાડાં ન વળે” એવી કહેવતો દુનિયામાં ચાલે છે. કહેવત એક “નય જેવી હોય છે. પણ તેમાં અનુભવ હોય છે–ડહાપણ હેય છે.
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy