SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ [ શ્રી સિદ્ધપદ છે. અભિપ્રાય એટલે બુધ્ધિ. આ અભિપ્રાયરૂપ બુધ્ધિ ચાર પ્રકારની છે. ગૌતમસ્વામીજી ઋતનિધિ હોવા છતાંય થતનું પરાવન કરે, અને મમ્મણ પાસે આટલી મેટી ધનિધિ હાવા છતાંય એક પાઇ માટે કાળી મજુરી કરે. એક આગમસિધ્ધ કહેવાય, જ્યારે બીજો મમ્મણુ અસિધ્ધ કહેવાય. આગમના અભ્યાસથી ગૌતમસ્વામીજી મહારાજાએ કંઇકને કેવળજ્ઞાન આપ્યું અને પોતેય કેવળજ્ઞાન પામ્યા. જયારે મમ્મણે જીંદગીમાં સુખેથી કાઇને અન્નના (કાળીયા) ખાવા દીધા હશે કે સુખે તેણે પોતે કવળ ગળે ઉતાર્યા હશે તેમાંય શ`કા છે. અ'નેય કહેવાય તે સિધ્ધ, પણ એકની સિદ્ધિ અને બીજાની સિદ્ધિમાં કેટલું અંતર છે ! લ ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી, અને પારીણામિકી આ ચારે ય બુધ્ધિ જેની પાસે હાય, ચૈાગ્ય સમયે તે મુધ પેદા થઇ જાય તે બધા બુધ્ધિસિધ્ધ કહેવાય. ૫૦૦-૫૦૦ મંત્રીએના મુખ્યમંત્રી અભયકુમાર ચારે ય બુધ્ધિના નિધાન હતા. તેઓ બુધ્ધિસિધ્ધ કહેવાય. “ અભિપ્રાયસિદ્ધના ચાર પ્રકારો ” ઔત્પાતિકીબુદ્ધિ એ બુદ્ધિના ખેલ જેવી છે. આવી બુદ્ધિના માલીકને તે વિષયના શાસ્રના અભ્યાસ અને તેના અનુભવની કંઈ જરૂર નહીં. તેની પાસે જાવ એટલે પરિસ્થિતિને જોઇને તરત જ મનમાં સ્ફુરણા થાય. જોનારાને લાગે કે આને કેવી રીતે આવડે છે? એ જ ક્ષાપશમની વિચિત્રતા છે. આવી બુદ્ધિવાળાને એવા વિશિષ્ટ ક્ષયાપશમ હાય છે કે બહારના કેાઈ પણ સાધને વિના જ તેમનામાં તેવી અંતરસ્ફૂરણા થાય.
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy