SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ tવવેચન છે. [ ૩૦૫ બંનેની પાસે જ્ઞાન હોવા છતાં ચ તે જુદા જુદા પ્રકારનું છે. તેમ વિરાગી પાસે અને સિદ્ધપરમાત્મા પાસે બંને પાસે અનુક્રમે પ્રશમનું અને મેક્ષનું સુખ છે. છતાં ય તે બંને એવા જુદા છે કે એકબીજાની સાથે એકબીજાની સરખામણું કરી શકાય જ નહીં. તેથી જ શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે “ઉવમાં ઇસ્થ ન વિજજ” (પંચસૂત્ર સૂ. ૫) મેક્ષના સુખની સરખામણી કરી શકાય તેવું કેઈસુખ છે જ નહીં, કારણકે મોક્ષનું સુખ એ એકાંત નિરપેક્ષ સુખ છે. જ્યારે પ્રશમનું સુખ એકાંત નિરપેક્ષ છે જ નહીં. માટે તે અનંત સુખ તે મેક્ષમાં ગયા સિવાય અનુભવી શકાય જ નહિ. પ્રશમના સુખમાં લાપશમિક ભાવના - અમૃતનો અંશ છે, બાકી ઔદચિકભાવનું ઝેર વ્યાપેલું જ છે. સાપેક્ષ સુખ હોય એટલે ત્યાં ઘાતકર્મોનો ઉદય વર્તતે જ હેય, અને ઘાતકર્મને ઉદય ગમે તેમ હોય તોય ઝેર જ કહેવાય. એટલે તે ઝેરથી વ્યાકુળ થઈ ગયેલું પ્રથમ સુખરૂપ અમૃત પણ અમૃત કહેવાય જ નહીં. માટે પ્રશમના સુખ ગમે તેવા સુઅને ગમે તેટલા ની સાથે પણ મોક્ષના સુખના એક અંશની પણ તુલના થઈ શકતી નથી. શાસકાએ તેના માટે જણાવ્યું છે કે – “બહુ વિસલવસંવદૃ અમર્યાપિ ન કેવલં અમર્યા? | (સિદ્ધસુખવિંશિકા ગા. ૧૦) અર્થાત્ ક્ષયોપશમભાવનું પ્રશમનું સુખ ભલે અમૃત જેવું ગણાતું હોય પણ એ પ્રશમનું સુખ અનુભવાય છે. ત્યાં પણ ઈચ્છાનું આધીનપણું છે, ત્યાં પણ સુખ માટે
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy