SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ ] [ શ્રી સિદ્ધપદ ઉદયને તમે એમ કહી શકો ખરા કે હમણાં તે એક પુણ્યને ઉદય ચાલે છે, માટે બીજા પુણ્યના ઉદયની હમણું જરૂર નથી માટે થોડું થોડું ઉદયમાં આવજે ! જ્યારે મળે છે ત્યારે તે ચારે બાજુથી સમૃદ્ધિ મળવા. માંડે છે. પણ જ્યારે જરૂર પડે છે ત્યારે કેઈપણ પુણ્ય મદદે આવતું નથી બધા એકી સાથે જ વિદાય લેવા માંડે છે ને? ત્યારે મનગમતાં વિષની પ્રાપ્તિ થાય તે પણ પુણ્યની મારફતે જ ને? તમારે તેના પર કોઈ સીધે તે કાબુ નહીં જ ને? અને જેના પર આપણે કાબુ ન હોય તેના પર ભરેસે રાખીએ તે તે વસ્તુ આપણને આધીન થયેલ કહેવાય કે આપણે તેને આધીન થવું પડ્યું કહેવાય ? કે મનગમતા વિષયની પ્રાપ્તિ માટે તમે ઝંખતા હો તે પણ તમારે આધાર તે પુણ્યકર્મ પર જ રાખવું પડે ને? અને પુણ્ય કર્મ તમારા કહ્યા પ્રમાણે ફરે નહીં માટે ઇચ્છા કરીને ગમે તે પ્રકારના સુખ ભોગવનાર માટે પરાધીનતાનું દુઃખ તે ખરું ખરું ને ખરું જ. આ જગતમાં પણ કહેવાય છે કે સ્વાધીનતા જેવું કેઈ સુખ નહીં અને પરાધીનતા જેવું કંઈ દુખ નહીં. તમારી પિતાની જ મિલક્ત તમે કેઈને ત્યાં કે બેંકમાં વ્યાજે મૂકી હોય અને તમને તરત ને તરત જોઈએ ત્યારે મળી શકે ખરી ? ના, આપવાવાળાને સમય હોય, સગવડ હેય. તેની દાનત બગડી ન હોય તે તમને પાછી મળે નહીં તે નાહીં જ નાખવાનું થાય ને? સમજો કે તમારી રકમ એ ચોપડામાં જમા કરી તે પહેલાં જ તે મરી ગયે તે તમારી. રકમની શી દશા થાય? તેના વારસદાર પ્રમાણિક હોય તો.
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy