SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] [ ૨૩૭ થઈ જવાનુ, પરલોકના દુઃખની વાત તે દૂર રાખા પણ આ લોકમાં ય કૂતરાના જેવા જીવને જીવવાની દશા આવવાની. અંતેઉરમાં હજારો રાણુ એ હશે છતાં ય ઇન્દ્રિયાની વિષય પ્રાપ્તિની ઝંખના પર થોડા પણ કાબુ નહીં હોય તો હલકામાં હલકા કુળની કેાઈ પણ રૂપવતી પર નજર પડશે કે ખલાસ. જાણે કદી તેને દુનિયામાં કશું જોયું કે ભાગવ્યુ જ હાય નહીં તેમ તેની જ પાછળ પડશે. જ્યાં સુધી તે નહીં મળે ત્યાં સુધી એક ભિખારી કરતાં પણ ભૂંડી મને દશામાં જીવવું પડશે. ! કલ્પસૂત્રમાં સાંભળે છે ને કે ૫૦૦-૫૦૦ સ્રીઓને માલિક કુમારન`દી સાની એ દેવીઓને મેળવવા આગમાં ઝંપલાવીને બળી મર્યા. વિષયના પાપની ભાવના કાઇને જણાવી તે। શકાશે નહી' માટે બહારથી હસતા અને અદરથી તેની પ્રાપ્તિની ઝંખનામાં રડતા રહેવુ પડશે. રખે કાઈ જાણી ન જાય તેવા ભયથી હૃદયમાં કપ-ધ્રુજારી છૂટતા રહેશે. તેમ છતાં જો ઇચ્છાને વાળવાનું મન ન થાય તેા સમ રાજવીઓને પણ શરમ વિનાના-લાજ વિનાના મનીને પેાતાની ઈચ્છાને તૃપ્ત કરવી જ પડશે. પ્રજા સારી ય પેાતાને ખરાબ કહેશે, અપકીર્તિ થશે તેના વિચાર સરખા પણ કરી શકશે નહિ. શાસ્ત્રકારાએ હિતાપદેશ આપતાં જણાવ્યુ` છે કે, ભલા માણસા દેવના ભોગે આગળ તમારા ભાગ શું વિસાતમાં છે? છતાં ય આવા ભાગેાની પાછળ પડીને એવી ભાવના રાખેા છે કે આવા ભાગ ભાગવવાથી ઇન્દ્રિયા શાંત થશે ? મન શાંત થશે ? આત્મા શાંત થશે ? આ કેવી મૂર્ખાઈ છે. હજારો મણુ રસ ભરપુર અનાજ ખાધા પછી પણ તૃપ્તિ ((
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy