SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ વિવેચન J [ ૨૨૫ હસ્યા. ઈ દ્રની વાત તેા ઠીક પણ વિષયેાની ઈચ્છા પુરી કરવા માટે તમારે જે કરવું પડે છે એ તમે અહીં સભામાં કહી શકે! ખરા ? શુ આવા પ્રસ ંગેા તમારા જીવનમાં કાઇ નહી' હાય કે જે આવુ' હાસ્ય પમાડે? વિષયેાની ઇચ્છા અને વિષયાની ઉત્સુકતા કેવી દીનતા પેદા કરી શકે છે! આવા મોટા ઈન્દ્રને પણ ક્ષણવારમાં ઝુકાવનારી એ વિષયાને મેળવવાની હાંશ કેવી હશે ? ભલભલા દેવાને પણુ ક્ષણમાં હચમચાવી નાંખનાર ઈન્દ્રને પણ જ્યાં આગળ માણસ નહી પણ ઘેાડો બનીને ઊભું રહેવુ પડે એ શુ` ઓછી દીનતા છે....? દુનિયાના વિષયાની પ્યાસ આવી જ દીનતા પેદા કરે છે. આત્મામાં જ્યારે આવી દિનતા પેદા થાય છે ત્યારે મન તો એવુ નબળુ થઈ જાય છે કે આ વિષયેાની પ્રાપ્તિ સિવાય જાણે કેાઈ તેના આધાર જ ન હોય! વિષયની પ્રાપ્તિ થયા બાદ શુ ફાયદા થશે ? શુ સુખ મળશે? એ કશે વિચાર મન કરી શકતુ ંજ નથી. સાર અને અસારને ય વિચાર કરી શકતું નથી.
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy