SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ] [ શ્રી સિદ્ધપદ પુદ્ગલ માત્રમાં કલ્પી ન શકાય તેવા અનેકાનેક ગુણો છે. કાશ્મણવર્ગણમાં પણ વિચિત્ર સ્વભાવ છે જેને કારણે આત્મા તેની સાથે સંબંધ થઈ જાય છે. આ સંબંધ થઈ ગયા પછી કમપરમાણુઓ આત્માની સાથે એક-મેક થઈને જ રહે છે. ગમે તેવી પરિસ્થિતિમાં આત્માના પુરૂષાર્થ સિવાય કોઈપણ બાહ્ય પદાર્થની મદદથી આત્મા અને આ કમપરમાણુઓનું વિયોજન થઈ શકતું નથી. પ્રશ્ન :– શું આત્માના પુરૂષાર્થ વિના કર્મ છુટે જ નહીં ? જવાબ – કર્મો પોતાની મેળે અમુક સ્થિતિ પૂર્ણ કર્યા બાદ ઉદયમાં આવે છે પણ તેનો ઊદય આત્મામાં કંઈને કંઈ પરિવર્તન તે અવશ્ય કરે જ છે. પણ અહીં પુરૂષાર્થ” શબ્દથી આત્મપરિવર્તન અર્થ સમજવાનો છે. એટલે કે આત્મામાં જ પરિવર્તન થયા સિવાય કઈ પણ દ્રવ્યની અપેક્ષાથી કર્મો છૂટા પડી શકતા નથી. આત્મા સાથે સંબંધ થયા પછી કર્મપરમાણુઓને કેટલોક કાળ એ હોય છે જે સમય દરમ્યાન આ કર્મપરમાણુઓમાં કેઈ પણ જાતનો ફેરફાર થતો નથી કે આ કર્મપરમાણુઓને કઈ પણ પ્રભાવ આત્મા પર પડતો નથી. આવા સમયને શાસ્ત્રીય પરિભાષામાં અબાધાકાળી કહેવામાં આવે છે. - જે સમય દરમ્યાન આત્માને લાગેલાં કર્મોને કઈ પણ જાતને ફેરફાર (બાધા) પેદા ન થાય તે સમયને અબાધાકાળ કહેવામાં આવે છે. કર્મોની સ્થિતિના પ્રમાણમાં
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy