SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના હા હાય ની છે અને તેના કદી પણ અતિ અલ્પ હેય-એ કેઈ નવાઈ પમાડે એવી વસ્તુ જ નથી. પ્રગતિની વાતો કરનારાઓ ઘણા હોય, પણ એમાં પ્રગતિના પંથે ચઢેલાઓ વિરલા હોય અને પ્રગતિના નામે પણ પીછેહઠ કરી રહેલાઓ ઘણા હેય, એ ય સ્વાભાવિક છે. તમારે જે સાચી પ્રગતિ સાધવી હેય, આત્માને પ્રગતિના પંથે ચઢાવ હોય અને એમ કરતે કરતે પ્રગતિની એ અન્તિમ અવસ્થાએ પહોંચવું હોય, કે જ્યાંથી અંશ માત્રેય અવગતિની કદી પણ સંભાવના સરખી ય ન હોય, પીછેહઠનું કેઈ કારણ જ ન હેય, તો તમારે આ જીવનમાં સૌથી પહેલો અને સૌથી વિશેષ પ્રયત્ન દેવતત્વના, ગુરૂતત્વના અને ધર્મતત્ત્વના સ્વરૂપને જાણવાના વિષયમાં કર જોઈએ અને એમ કરીને દેવતત્વના, ગુરૂતત્વના અને ધર્મતત્વના સ્વરૂપના વિષયમાં સુનિશ્ચિત બની જવું જોઈએ. સુનિશ્ચિત બનવું એટલે? દેવ-ગુરૂ-ધર્મ રૂપ તત્ત્વત્રયીના સ્વરૂપના વિષયમાં સુનિશ્ચિત. બનવું, એટલે શું? પૃથક્કરણ કરવા જોગી સમજ મેળવવી અને એ સમજને સદુપયેગ કરો. સુદેવ કેને કહેવાય તથા કુદેવ કોને કહેવાય, સુગુરૂ કેને કહેવાય તથા કુગુરૂ કેને કહેવાય અને સુધર્મ કેને કહેવાય તથા કુધર્મ કેને કહેવાય-એવું પૃથકરણ કરી શકાય,એવી દેવગુરૂ-ધર્મ રૂપ તત્ત્વત્રયીના સ્વરૂપના વિષયમાં સમજ મેળવવી જોઈએ તેમ જ એ સમજને સદુપયોગ કર્યો ત્યારે જ કહેવાય, કે જ્યારે કુદેવને ત્યાગ કરવાપૂર્વક સુદેવને સ્વીકાર કરવામાં આવે, કુગુરૂને ત્યાગ કરવાપૂર્વક સુગુરૂને સ્વીકાર કરવામાં આવે અને કુધર્મને ત્યાગ કરવા.
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy