SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને હોઈ શકે ? તમને અપવાદમાગને ખ્યાલ આપવાને માટે આ વાત થાય છે. અપવાદમાગે ચાલવા છતાં, ઉસૂત્રમાર્ગથી તદ્દન ઊલટા પ્રકારની ક્રિયા કરવા છતાં પણ, આરાધના જ થાય અને વિરાધના ન થાય, એ કથનને સમજાવવાને માટે આ વાત છે. અપવાદને અસ્થાને અગર તો ખોટી રીતિએ સેવે, તેની આ વાત નથી. અપવાદના સ્થાને જ અપવાદને સુગ્ય રીતિએ સેવે, તેની આ વાત છે. પેલા સાધુ મહાત્માએ તો એક માત્ર લંગોટી લગાવી દીધી અને બાવાઓના દંડ જેવો દંડ બનાવી લીધું. એ સિવાયનાં સઘળાં ય સંયમનાં ઉપકરણોને સળગાવી મૂક્યાં. એને સળગાવી મૂકીને, એની જે રાખ પડી, તે રાખને પાછી પિતાના આખા ય શરીરે ચોળ્યા કરી. આવા પ્રસંગને વર્ણવવાનું કે વાંચવાનું જો ઉત્સર્ગમાર્ગની સાથે અપવાદમાગને નહિ જાણનારાના હાથમાં આવી જાય, તો એ કરે શું? મહા આરાધક એવા એ સાધુ મહાત્માને, એ તે મહા વિરાધક જ માને અને કહે ને ? કેવળ વ્યવહાર નયને વળગનારા અને નિશ્ચય નયને નહિ જાણનારા, નહિ માનનારા કિયાજડે આવા પ્રસંગે થાપ જ ખાઈ જાય. એટલે વ્યાખ્યાનને અધિકાર ઉત્સર્ગમાર્ગ તથા અપવાદમાર્ગ–ઉભય માર્ગોના જાણકાર ગીતાર્થોને અપાયો છે, તે યોગ્ય છે ને ? વ્યવહારમાં તો તમને આવી વાતો ઝટ સમજાય છે. તમને શકટાલ મંત્રીના પ્રસંગની તો ખબર હશે. શ્રીયક, એ શકટાલ મંત્રીને પિતૃભક્ત પુત્ર હતો અને એ જ શ્રીયકે ભરસભામાં, રાજાની હાજરીમાં, એના પિતાનું માથું ધડથી જુદું
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy