SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ४६८ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો અનુસરે એવી ઈચ્છા થાય; એમના દોષને ઢાંકવાને બદલે, એમના ની વાત કરતાં હૈયે ચીરાડ પડે નહિ, તેમના અભ્યદયનું ચિન્તન કરવાને બદલે, તેમને અપયશ કરવામાં સામેલ થવાય; તેમની દુર્દશાથી દુઃખિત થવાને બદલે, “આપણે શું કરીએ? એ તો કરે એવું પામે –એવું એવું બોલવાનું મન થાય અને તેમના સાચા અભ્યદયથી રાજી થવાને બદલે, તેમને અધઃપાત થાય-એવી રીતિએ તેમને વર્તાવવાની પેરવી કરાય–આવું પણ આજે ચાલી રહ્યું છે, માટે તમે એવા કેઈ પાપમાં ન આવી જાવ, તેનાથી તમારે સાવધ રહેવા જેવું છે. વિનય બહુમાનની ચતુર્દશી: બહુમાન એટલે અન્તરની પ્રીતિ, હદયને ભક્તિભાવ વિશેષ. કેઈ સાધુને શરીરે વા આવ્યું હોય અને તેથી તે નમી શક્તો ન હોય, એટલે વિનોપચાર ન કરે, પણ હૃદયમાં બહુમાન હોય તે ભક્તિ ભારેભાર હોય; હદયથી તે તે ઝુકી પડતો હોય. હૃદયના આ ભાવનું નામ છે બહુમાન. બહુમાન એટલે અંતરંગ પ્રેમ, હાર્દિક સ્નેહ. બિમારી ભેગવતે શિષ્ય સંથારાવશ છે; ગુરૂ આવે તો તે ઉભે થઈ શકતો નથી; આસનાદિ આપી શકતા નથી; હાથેય એવા જડાઈ ગયેલા છે કે--હાથ પણ જોડી શક્તા નથી; એમ વિનયના પ્રકારોમાને કેઈ પણ પ્રકાર યદ્યપિ સાચવી શકતો નથી, તથાપિ હૃદયમાં તો આ તમામ સમાએલું છે, કેમ કે–ત્યાં બહુમાન વિરાજમાન છે. વિનય અને બહુમાનને અંગે ચૌભંગી થાય છે. (૧) એકમાં વિનય પણ છે અને બહુમાન પણ છે. (૨)
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy