SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫, બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના અને હેાવાથી, ‘ભગવાન શ્રી જિનેશ્વરદેવને નમસ્કાર કરવામાં ઉપકારી એવી સઘળી ય વ્યક્તિઓને તેમ જ ઉપકારી એવી સઘળી ય વસ્તુઓને પણ નમસ્કાર થઈ જાય છે’–એમ જો કહીએ, તે તે પણ વ્યાજબી જ ગણાય; પરન્તુ સઘળા ય જીવા આવા તાત્પર્યાર્થ શેાધી શકે નહિ. આથી, આ મહાપુરૂષ તે એવા માર્ગ લીધા કે—કયા કયા ઉપકારને નમસ્કાર કરવા એ ચેાગ્ય છે, તેને સામાન્ય સમજવાળા જીવા પણ સમજી શકે. એ માટે જ, આ મહાપુરૂષે માત્ર ભગવાન શ્રી જિનેશ્વરદેવાને નમસ્કાર કરીને નહિ અટકતાં ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને પણ નમસ્કાર કરીને નહિ અટકતાં, ગણધરભગવાન શ્રી સુધર્માંસ્વામીજીને પણ નમસ્કાર કર્યાં અને તે પછીથી સઘળા ય અનુયાગવૃદ્ધોને પણ નમસ્કાર કર્યાં. આમ, સઘળી ય ઉપકારી વ્યક્તિઓને નમસ્કાર કર્યાં. બાદ, ઉપકારી એવી સઘળી ય વસ્તુઓને નમસ્કાર કરવાને માટે, આ મહાપુરૂષે શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણીને નમસ્કાર કર્યાં. શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણીમાં, કોઈ પણ સારી વસ્તુનું પ્રતિપાદન ન હોય, એ મને ? નહિ જ. શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણી બતાવે બધી વસ્તુઓને, પણ ગ્રાહ્ય તરીકેનું પ્રતિપાદન તા સારી–ઉપકારક વસ્તુઓનું જ કરે ને ? હિંસાદિકને પણ બતાવે અને અહિંસાદિકને પણ મતાવે, પરન્તુ સાથે સાથે જ એ વાત હાય કે–હિંસાદિક તજવા યાગ્ય છે અને અહિંસાદિક આચરવા ચેાગ્ય છે. આમ, શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણીમાં સઘળી ય ઉપકારક વસ્તુઓના સમાવેશ થઈ જાય છે અને એથી એમ કહી શકાય કે—શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણીને નમસ્કાર કર્યાં, એટલે જગતભરમાં જે કાંઈ પણ સારી
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy