SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કરણ, એ ત્રણેય પ્રત્યેનો વર્તાવ વિનયશીલ હવે જોઈએ, નમ્ર હવે જોઈએ. જ્ઞાનીમાં ગુરૂ, વિદ્યાદાતા અને વિશેષજ્ઞ, એ ત્રણેયનો સમાવેશ થાય છે. વિનયના દશ પ્રકારે છે. તેમાં પહેલે સત્કાર નામનો પ્રકાર છે. ગુરૂ, વિદ્યાદાતા અને વિશેષજ્ઞ-એ ત્રણેય પ્રકારના મુનિજનેને સત્કાર કરે, એટલે કે–તેમના ગુણની સ્તવના કરવી તથા તેમને વંદનાદિ કરવું. બીજો પ્રકાર અભ્યસ્થાન નામને છે. તેઓ આવે એટલે ઉભા થઈ જવું, એ તેઓને અભ્યત્થાન નામને વિનય છે. ત્રીજે સન્માન નામને વિનય એને કહેવાય કે તેઓનું વસ્ત્રપાત્ર આદિ વડે પૂજન કરવું. યંગ્ય વસ્ત્ર-પત્રાદિને લાવી આપવામાં, આ વિનયની સફલતા છે. તેઓને આદરપૂર્વક આસન આણું આપવું અને આ આસન ઉપર આપ પધારે” -એમ કહેવું, એ ચોથે આસનાભિગ્રહ નામને વિનય છે. તેઓના આસનને એક સ્થાનેથી લઈને અને અન્ય ગ્ય સ્થાને સ્થાપીને, તેઓને એ આસને પધારવાનું કહેવું, એ પાંચમે આજનાનપ્રદાન નામનો વિનય છે. તેઓને વિધિપૂર્વક વન્દન કરવું, એ છો કૃતિકર્મ નામનો વિનય છે. તેઓને બે હાથ જેડીને નમન કરવું, તે સાતમે અંજલિગ્રહ નામનો વિનય છે. તેઓની ચેષ્ટા ઉપરથી તેઓના મનના અભિપ્રાયને જાણી લઈને તેનું અનુસરણ કરવું, એ વિનયનો આઠમે પ્રકાર છે. તેમની પપાસના કરવી,તે વિનયને નવા પ્રકાર છે. તેઓ ચાલતા હોય ત્યારે તેઓની સાથે અગર તેઓની આગળ નહિ ચાલતાં તેઓની પછવાડે ચાલવું, એ વિનયને દશમે પ્રકાર છે. આ દશેય પ્રકારને વિનય ગુરૂ, વિદ્યાદાતા અને વિશેષ પ્રત્યે પણ યથાયોગ્ય રીતિએ આચરે જોઈએ. આવા
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy