SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને થાય? વિદ્યાદાન સફલ થવામાં ભણનારની પણ યોગ્યતા અને મહેનત અવશ્ય જોઈએ. એવું જ મોક્ષદાનમાં છે. ભગવાને તે મોક્ષને ઉપાય બતા; પણ એ ઉપાયને યથાસ્થિતપણે જાણવા અને આચરવાને પ્રયત્ન તે આપણે જ, સંસારના જીએ જ કરવું પડે. ભગવાને મેક્ષની સાધનાની જરૂર દર્શાવી, પણ એ વાત રૂચે એવી લાયકાત અને લઘુકમિતા ન હોય, તો શું થાય ? મોક્ષ સાધવે એ જરૂરી છે એમ લાગે, પણ ભગવાને બતાવેલા મેક્ષમાર્ગ ઉપર શ્રદ્ધા પ્રગટે– એવે કર્મને ક્ષાપશમ ન હોય, તે શું થાય ? મોક્ષમાર્ગ ઉપર શ્રદ્ધા પ્રગટી, પણ એ માર્ગને આચરવા જેગો કર્મને ક્ષપશમ ન હોય, તે શું થાય?મેક્ષમાર્ગને આચરવા જેગો ક્ષપશમ હોય, પણ અપ્રમત્તભાવ આવે અને ક્ષપકશ્રેણિ મંડાય–એવું પરિણામેનું પરિબળ પામવા જેગી આતરિક અને બાહ્ય સામગ્રી ન હોય, તો શું થાય? ક્ષપકશ્રેણિ માંડી અને કેવલજ્ઞાનને ય પ્રગટાવ્યું, પણ તે પછી આયુષ્યકર્મ જેટલું બાકી હોય, તેટલો વખત સંસારમાં રહેવું જ પડે, એમાં બીજું શું થાય ? મેક્ષ તે જ્યારે સકલ કર્મોનું સંપૂર્ણપણે ક્ષીણપણું થઈ જાય, ત્યારે જ મળે ને ? આ બધું માત્ર ભવ્ય જેને માટે જ સંભવે છે. ભવ્ય જીમાં જ આવી લાયકાત હોઈ શકે છે. ભવ્ય જીને પણ કાલ પાક્યા પછીથી જ એ લાયકાત કાર્યગત બને છે. ભવ્ય જીના કાલનો પરિ પાક થયા પછીથી પણ ભવિતવ્યતા, લઘુકમિંતા, નિમિત્ત અને પુરૂષાર્થ આદિની અપેક્ષા રહે છે જ. કેઈપણ કાર્ય પાંચે ય કારણે મળવાથી જ સંભવી શકે છે. એટલે મેક્ષના દાનમાં સામેવાળા જીવને સુગ પણ જોઈએ. આથી તે ભગવાનને ભવ્ય
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy