SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬-નિશ્ચય-વ્યવહાર : બે ગડ્ડસ્થલેઃ આગળના વિશેષણમાં પણ નયની જ વાત આવે છે સમુન્નત જયકુંજરની સાથે શ્રી ભગવતીજી સૂત્રની ઘટના કરતાં, ટીકાકાર મહર્ષિ આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, ચૌદમાં વિશેષણ તરીકે ફરમાવે છે કે __ "निश्चयव्यवहारनयसमुन्नतकुम्भद्वयस्य" એટલે કે-જયકુંજરને જેમ સમુન્નત એવાં બે ગણ્ડસ્થલે હોય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ નિશ્ચય નય અને વ્યવહાર નય–આ બે ન રૂપ બે ગણ્ડસ્થલથી યુક્ત છે. નિશ્ચય નય ને વ્યવહાર નયઃ નિશ્ચય નય અને વ્યવહાર નય, એ બે નાના પણ વિશેષ વર્ણનમાં તમારી પાસે નહિ ઉતરતાં, તમને સામાન્ય પ્રકારે ખ્યાલ આવે એવું કહેવું પડશે. સુનિશ્ચિત અથવા તે પરિપૂર્ણ કાર્યદશાને માન્ય કરનારે નિશ્ચય નય છે, જયારે વ્યવહાર નય તે કારણને પ્રધાનતા આપીને ચાલનાર છે. એક દાખલે લે. સામાન્યપણે તમે જાણો છો કે–ચોથું ગુણસ્થાનક અવિરત સમ્યગ્દષ્ટિ જીવનું છે, પાંચમું ગુણસ્થાનક દેશવિરત સમ્યગ્દષ્ટિ જીવનું છે અને છ ગુણસ્થાનક સર્વવિરત સમ્યગ્દષ્ટિ જીવનું છેઆમ છતાં પણ, નિશ્ચય નયનું
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy