SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના ૩૬૯ જ્ઞાને મુક્તિસાધક બનવાને માટે ચરણની અપેક્ષા રાખવી પડે અને ચરણે મુક્તિસાધક બનવાને માટે જ્ઞાનની અપેક્ષા રાખવી પડે. પરસ્પર નિશ્ચિત બનીને બે ય મુક્તિનાં સાધન બની શકે અને પરસ્પર અનિશ્ચિત બન્યાં થકાં એ બન્નેમાંથી એકેય મુક્તિનું સાધન બની શકે નહિ. આથી જ જ્ઞાનીને મન ચર ની મહત્તા હોય અને ચરણવાળાને મન જ્ઞાનની મહત્તા હોય. જે જ્ઞાની કે ચારિત્રી એક–બીજાની અવગણના કરવા માંડે, તો બે ય ડૂબે પણ બેમાંથી એકેય વિસ્તારને પામી શકે નહિ. જ્ઞાન અપ્રતિપાતી ગુણઃ જ્ઞાનના પાંચ પ્રકારે છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન–એ પાંચ ભેદે જ્ઞાન પ્રસિદ્ધ છે. આ શ્રી ભગવતીજી સૂત્રનું જેમ જેમ સારી રીતિએ અધ્યયન કરવામાં આવે, તેમ તેમ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને પ્રકર્ષ થાય છે; અને એમ જે આત્મા મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનના પ્રકર્ષમાં લીન બન્ય, તે આત્મા અપ્રમત્તભાવને પામવા દ્વારા મન:પર્યવજ્ઞાનને પણ સ્વામી બની શકે છે અને તેના પરિણામે તે કેવલજ્ઞાનને સ્વામી પણ બની શકે છે. શ્રી ભગવતીજી સૂત્ર, એ શ્રુતજ્ઞાન રૂપ છે. શ્રુતજ્ઞાનના જે ચૌદ ભેદ છે, તેમાં આ સૂત્ર અક્ષરગ્રુત કહેવાય, એટલે આ સૂત્ર એ સ્વયં શ્રુતરૂપ છે. ઉપકારીઓએ શ્રુતજ્ઞાનને સૂર્યની ઉપમા અને કિયાને ખદ્યોતની ઉપમા પણ આપી છે. કહ્યું છે કે તત્વસંબંધી જે પક્ષપાત અને ભાવથી શૂન્ય જે ક્રિયા, એ બે વચ્ચેનું અત્તર સૂર્ય અને આગીઆ જેવું છે. માત્ર ક્રિયાથી કર્મને જે ક્ષય થાય છે, તે દેડકાના ચૂર્ણ સમાન છે. દેડકાનું
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy