SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના ૨૭૫ શયવન્તી. છતાં પાખંડીઓ વિગેરેને એમની વાણું જ્ઞાનદાન કરી શકી નહિ. ત્યાં કહેવું પડશે કે–એ છ લાયક નહિ. તેમ અહીં પણ સમજી લો કે–પુસ્તક લાયકને જ્ઞાનદાન કરી શકે. માત્ર જ્ઞાનદાનની શક્તિની તરતમતા હોઈ શકે. શ્રી તીર્થંકર ભગવાનમાં જ્ઞાનદાનની જેવી શકિત હતી, તેવી કેઈમાં પણ હોતી નથી. શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં થઈ ગયેલા પૂર્વ પુરૂષોમાં જ્ઞાનદાનની જે શક્તિ હતી, તે મારામાં નથી. એટલે પુસ્તકની શાનદાનની શકિતને ઈનકાર નહિ કરતાં, કહેવું હોય તે એમ કહો કે પુસ્તકમાં જ્ઞાનદાનની શકિત ઓછી ગણાય. પ્રશ્ન પુસ્તક જ્ઞાનદાન કરનારું બને, એ સાચું. એ જ પુસ્તકનું આચરણ છે. પુસ્તકને હાથમાં લઈને, એમાં જે લખેલું હોય તેને માણસ જે વાંચી શકે, તેના અર્થને વિચારી શકે, તો એ પુસ્તકે એને એ જ્ઞાનનું દાન કર્યું કહેવાય. અચિત્ત પાણી પણ એને જે પીએ, તેના ગળાને ઠારે. એમ શ્રી ભગવતીજી સ્ત્રનું આચરણ પણ છે અને તે જ્ઞાનજ્ઞાન. આ વાત હજુ પણ જો તમારામાંના કેઈને ન સમજાઈ હોય, તો કહો. વાત લંબાય તેને વધે નહિ, પણ તમને જ્યારે સંભળાવું છું અને તમે સાંભળે છે, ત્યારે તમને વાત સમજાવી તો જોઈએ. પ્રશ્નઃ આ વાત હવે તે બરાબર સમજાઈ ગઈ કેવા પ્રકારનું જ્ઞાન આપવાથી શાનદાન અધમ કેરિનું ગણાય? હવે આપણે એ જોવાનું રહે છે કે-શ્રી ભગવતીજી સૂત્રનું જે જ્ઞાનદાન રૂપ આચરણ છે, તે કેવી રીતિએ નાના
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy