SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના ૨૫૯ અનેક પ્રકારનું, અદ્ભુત અને શ્રેષ્ઠ હોય છે. આપણે વિચારી આવ્યા છીએ કે-જયકુંજરમાં “જય અને આશ્રયી ચાર પ્રકારની શક્તિઓ હોય છે. પિતાના શત્રુથી પોતે પરાભવને નહિ પામ–એવું પણ જયકુંજરનું આચરણ હોય છે અને પિતાના શત્રુને પરાભવ પમાડીને પોતે જય મેળવવો–એવું પણ જયકુંજરનું આચરણ હોય છે, એ જ રીતિએ, પિતાના માલિકને શત્રુથી પરાભવ પામવા દે નહિ-એવું પણ જયકુંજરનું આચરણ હોય છે અને પોતાના માલિકના શત્રુ ઉપર માલિકને જય અપાવે એવું પણ જયકુંજરનું આચરણ હોય છે. પિતે જીતાવું નહિ અને સામાને જીતવો–એ બેમાં ફેર છે. જે અજેય હોય, તે વિજેતા પણ હોય જ-એમ કહી શકાય નહિ. કહેવું હોય, તે એમ કહેવાય કે–જે અજેય હોય તે વિજેતા પણ બની શકે. એ જ રીતિએ, પિતે જીતાવું નહિ અને સામાને જીત–એ જુદી વાત છે, જ્યારે પિતાના માલિકને જીતાવા દે નહિ અને પિતાના માલિકને જીતાડ–એ જુદી વાત છે. જયકુંજરનું આ ચારેય પ્રકારનું આચરણ હોય છે, એટલે આટલા એના આચરણને અનુલક્ષીને પણ કહી શકાય કે-જયકુંજરનું ચરિત અનેક પ્રકારનું હોય છે. આટલું છતાં પણ, કેઈકદાચ એવું પણ કહે કે-“ચારેય આચરણની વાત આખર તો આવીને “જય માં જ સંગૃહીત થઈ જાય છે, માટે જયકુંજરના ચરિતને અનેક પ્રકારનું કહેવાને માટે, તેનું કાંઈક વધુ આચરણ બતાવવું જોઈએ.” આવા પ્રકારનું કહેનારને પણ સંતોષ થાય, એ માટે આપણે વધુ વાત જરૂર કરીશું, પરંતુ તે પહેલાં એ વાત તે નક્કી કરી લે કે-જયકુંજરનાં જે ચાર પ્રકારનાં આચરણની વાત અસતાવાઈ જાય છે આ
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy