SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ = = = ૨૩૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો હવે શ્રી ભગવતીજી સૂત્રને અંગે વિચાર કરે. આજે તમે જાણે છે કે–બીજ અંગસૂત્રેના કરતાં શ્રી ભગવતીજી સૂત્રની વિશેષ ખ્યાતિ છે. શ્રી ભગવતીજી સૂત્રની ખ્યાતિ સુન્દર પ્રકારની–શ્રેષ્ઠ પ્રકારની પણ છે અને શ્રી ભગવતીજી સૂત્રની ખ્યાતિ સદાની પણ છે–એમ એ અપેક્ષાએ પણ કહી શકાય કે–સર્વ તીર્થકર ભગવાનના સમયે દ્વાદશાંગી રચાવાની અને તેમાં આ પંચમાંગ અંગસૂત્રની રચના પણ થવાની જ. સદાખ્યાતનો બીજા પ્રકારે અર્થ : આ વિશેષણને બીજી રીતિએ પણ અર્થ થઈ શકે છે. આખ્યાત શબ્દને “ક્રિયાપદ એ અર્થ પણ થાય છે. સદાખ્યાત એટલે શ્રેષ્ઠ છે ક્રિયાપદે જેમાં, એ અર્થ પણ થાય. ક્રિયાપદ એટલે કિયાનું સ્થાન–એવો જે અર્થ કરીએ, તે જયકુંજરનાં ક્રિયાસ્થાને ઉત્તમ પ્રકારનાં હોય છે. જયકુંજરને રાખવાનું સ્થાન સ્વચ્છ અને સુન્દર હોય છે. જયકુંજરની ક્રિયાઓને અંગે વિચારીએ, તો એની કેટલીક ક્રિયાઓ વખાણુવા ગ્યા હોય છે. આ દૃષ્ટિએ જયકુંજરને માટે એમ કહેવાય કે–શ્રેષ્ઠ છે ક્રિયાપદે જેનાં એ જયકુંજર છે. આ વાત, શ્રી ભગવતીજી સૂત્રના પક્ષે તે સીધી જ છે. ક્રિયાપદે તે બધા ગ્રન્થમાં હોય, પરંતુ શ્રી ભગવતીજી સૂત્રની રચનામાં જે ક્રિયાપદે પ્રગને પામેલાં છે, તે ક્રિયાપદો પણ શ્રેષ્ઠ પ્રકારનાં છે. એકને એક અર્થ જુદાં જુદાં ક્રિયાપદે દ્વારા કહી શકાય, પરંતુ એ ક્રિયાપદેમાં જે ક્રિયાપદ શ્રેષ્ઠ હેય, તેને પ્રયોગ કરાયો હોય, તે એવાં પાદ, વાક્ય, ગ્રન્થ, સૂત્ર, કાવ્ય આદિને સદાખ્યાત રૂપે પણ વર્ણવી શકાય. ઉપસર્ગ,
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy