SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જે સ્થલે જે પદ હોય, તેનાથી અધિક ભાવવાહી પદ બીજા કેઈથી તે આવી શકે જ નહિ. શાસ્ત્રની રચના શ્રુતજ્ઞાનિઓ જ કરે. કેવલજ્ઞાનિએ કદી પણ શાસ્ત્રોની રચના કરે નહિ. શ્રી તીર્થંકર ભગવાને અર્થ રૂપે જ નિરૂપણ કરે. એને સૂત્રાત્મકપણે. ગૂંથે તો શ્રુતકેવલિઓ જ. સૂત્રોના રચયિતા, હંમેશને માટે, કૃતજ્ઞાનિઓ જ હોય, પણ કેવલજ્ઞાનિઓ હોય જ નહિ. સાચા પ્રબુદ્ધો સંસારને તજનારા ઃ આવા શ્રી ભગવતીજી સૂત્રનાં પદોની શ્રેણિ, પ્રબુદ્ધ જનેનાં મનનું રંજન કરે છે. સાચા પ્રબુદ્ધો તેઓ જ છે, કે જેઓએ સંસારને છોડી દીધું છે. સંસારને અસાર જાણીને, તેને ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરનારાઓ જ, સાચા પ્રબુદ્ધ ગણાવાને લાયક છે. જેને જ્યાં સુધી “સંસાર તો હેય જ અને એક મેક્ષ જ ઉપાદેય—એમ લાગે નહિ, તે ત્યાં સુધી અજ્ઞાન છે, બાલ છે. એક મોક્ષને જ સાર સમજીને અને ભગવાને કહેલા મોક્ષમાર્ગને હૈયે સ્થાપીને, આત્મા જેમ જેમ ત્યાગ કરતો જાય છે, તેમ તેમ તે પંડિત બનતું જાય છે. એટલે સંસારને જે અસાર જ માનતો હોય, તે કદાચ સંસારમાં રહેલું હોય તો પણ, સંસારને એ છેડી શકે નહિ તે પણ, તેને તાણવા તનતોડ મહેનત પણ કરે નહિ. સંસારને અંગે જે મહેનત-પ્રયાસ કરે, તે કર્યા વિના ચાલે તેવું ન હોય એથી કરે, જ્યારે કરવાને માટે મહેનત–પ્રયાસ તે મોક્ષને ઉદ્દેશીને જ હોય. સમ્યગ્દષ્ટિ આત્માને, યાવ–સર્વવિરતિ આત્માને આ શ્રી ભગવતીજી સૂત્ર, પિતાનાં પદેથી ખૂશ કરે, જ્યારે મહા મિથ્યાષ્ટિઓ તે, આનાં પદેથી અકળાઈ
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy