SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના ૧૧૫ ભગવાન રાજ્યને લેવાનું કહે કે રાજ્યને પણ છોડવાનું કહે ? મહારાજા શ્રી ભરત જેવા પણ સમજે કે-“ મતોથGY” એટલે કે રાજ્ય સંસાર રૂપી વૃક્ષનું બીજ છે અને ભગવાન એવા રાજ્યને લેવાનું કહે, એ બને? ભગવાનની વાત તો દૂર રહી, પણ સાધુ ય રાજ્યને ગ્રહણ કરવાનું કહે નહિ. સંસારની કોઈ પણ ક્રિયામાં સાધુની અનુમતિ હોય જ નહિ. સંસારની કિયામાં જે કઈ પણ સાધુ ભૂલથી પણ અનુમતિ આપી દે, તે તે સાધુ પાપથી લેપાય. તે પછી, શ્રી અભયકુમાર જેવા સમજુ અને શ્રદ્ધાળુએ, ભગવાનને પૂછીને જ “પિતાની આજ્ઞા ખાતર પણ રાજ્ય લેવું કે નહિ?—એને નિર્ણય કરવાને વિચાર રાખે, તેનું કારણ શું? એ કારણને જાણવાને માટે, શ્રી અભયકુમારે ભગવાનને શું પૂછયું છે, એ જ ખાસ જાણવા જેવું છે. પ્રશ્ન ડહાપણભર્યો કહેવાય, ભગવાન ઉત્તર દીધા વિના રહે અને શ્રી અભયકુમારને પિતાને હેતુ પણ સરે, એવી રીતિએ શ્રી અભયકુમારે ભગવાનને પૂછયું છે. શ્રી અભયકુમારે ભગવાનને એ જ માત્ર પૂછ્યું છે કે–બહે ભગવદ્ ! આપના શાસનમાં અતિમ રાજર્ષિ કેણ થશે ?” એના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે રાજા ઉદાયન.” શ્રી અભયકુમારે એ પણ જાણી લીધું કે–અત્યારે રાજા ઉદાયન દીક્ષિત થઈ ચૂકેલા છે. પિતાને નિર્ણય કરવાને માટે, શ્રી અભયકુમારને પણ આટલું જ જાણવું હતું. દીક્ષા લેવાને માટેની આજ્ઞાની માગણી ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પાસેથી આવીને,
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy