SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ - 1 : : બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના ૧૧૩ શ્રાવકને સર્વ ભાવનાઓમાં પ્રધાન ભાવના સાધુજીવનને પામવાની હેવી જોઈએ : શ્રી અભયકુમારની આ મનોવૃત્તિ સમજાય છે? સુશ્રાવકેની મને વૃત્તિ કેવા પ્રકારની હોય, તેનું શ્રી અભયકુમારના આ પ્રસંગમાં સુન્દર દર્શન છે. શ્રાવકની સૌથી પ્રબળ જે કોઈ પણ ભાવના હોય, તો તે સાધુજીવનને જીવવાની હોય! શ્રાવક માતા-પિતાની આજ્ઞાને અવગણના ન હોય; શ્રાવક જયાં સુધી શક્ય હોય ત્યાં સુધી માતા-પિતાની આજ્ઞાને અમલ કરવાની જ વૃત્તિવાળો હોય; પિતાના પૌદ્ગલિક સુખને અનાદર કરીને પણ શ્રાવક માતા-પિતાની આજ્ઞાને આદર કરે. આવે પણ શ્રાવક, જ્યારે માતા-પિતાની અમુક આજ્ઞાને અમલ કરવાના કારણે, પિતાની સાધુજીવનને જીવવાની ભાવનાને બાધ પહોંચે તેમ છે એમ સમજી જાય, ત્યારે એ કરે શું? માતા-પિતાની આજ્ઞાનું પાલનને ગૌણ બનાવે કે સાધુજીવનને જીવવાની પોતાની ભાવનાને ગૌણ બનાવે ? એવા સમયે તે, જે શ્રાવક, માતા-પિતાની આજ્ઞાના પાલનને ગૌણ પદ આપીને પણ સાધુજીવનને જીવવાની પિતાની ભાવનાને પ્રધાન પદ આપે, તે જ શાણો શ્રાવક કહેવાય. પણ આજે તે, સાધુજીવનને જીવવાની ભાવનાનાં જ ફાંફાં છે ને ? આજે જેટલા શ્રાવકે ગણાય છે, આગેવાન શ્રાવકે ગણાય છે અથવા તે. ધર્મી તરીકેની જેઓની ખ્યાતિ છે, તેમાં પણ સાધુજીવનને પામવાની ભાવના અન્ય સર્વ ભાવનાઓ કરતાં પ્રબળ હોય, એ એમ ને એમ માની લેવાય એવું છે ખરું? અન્ય સર્વ ભાવનાઓથી પ્રબળ ભાવના સાધુજીવનને પામવાની હોય, એવા
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy