SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ જો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના ભાવને પણ સૂચિત કર્યા છે. ‘ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી આદિને નમસ્કાર કરીને હું આ કાર્યને કરૂં છું’–એમ કહેવાનું તાત્પર્ય એ છે કે હું એવું જ કહીશ, કે જે આ બધાને નમસ્કાર કરનારને કહેવું શાલે અથવા તે આમાંના કોઈ ને પણ કિંચિહ્ન માત્રેય દૂષણ લાગે એવું હું કહીશ નહિ !? આધાર લઈને એલવાની શાસનની પદ્ધતિ: ૯૧ ત્રીજા શ્લોકમાં પણ, ટીકાકાર મહર્ષિએ, એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે આ ટીકા હું સ્વતન્ત્રપણે રચવાના નથી. સ્વતન્ત્રપણે એટલે નિરાધારપણે હું આ ટીકાને રચવાના નથી. ટીકાકાર મહર્ષિ કહે છે કે‘હું આધાર લેવાના છું” અને પેાતે કાના કાને આધાર લેવાના છે, તેના નિર્દેશ પણ તેમણે કર્યો છે. શ્રી જૈન શાસનની આ પદ્ધતિ છે. આધાર લીધા વિના કોઇ એલે જ નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવા તે, કેવલજ્ઞાન થયા પછીથી જ ધર્મતીર્થની સ્થાપના કરે છે, એટલે એ તારકાને તે બીજા કોઈના ય આધારની અપેક્ષા રહેતી નથી; પરન્તુ, એ સિવાયના જે કાઈ હાય, તેમણે જો ઉત્સૂત્રકથનાદિથી ખેંચીને સત્યવાદી જ બન્યા રહેવું હાય, તે યાગ્યને આધાર લેવા જ જોઈ એ. દ્વાદશાંગીની રચના કરવા જોગા સામર્થ્યને ધરનારા ગણધરભગવન્તાએ પણ, પહેલાં ભગવાનનાં વચનાને આધાર લીધેા અને એથી જે કાંઈ કહ્યું, તે ભગવાનના નામે જ કહ્યું. સર્વજ્ઞ—વચનના કેટલા બધેા મહિમા છે? એના આધારને ગ્રહણ કરીને જે કઈ ચાલે, તે સ્વયં તરે અને બીજાઓના પણ તરવાના આધાર રૂપ અને, શ્રી સુધર્માસ્વામીજીની પાટે થયેલા શ્રી જમ્મુસ્વામીજીએ પણ આધાર
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy