SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ વાણી છે. તે પણ વાઈજ ને? જ સર્વરની આજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના કરતો હોય, સ્તુતિ વિગેરે કરતો હોય, પણ એ બધું ય કાનમાં ! આ વાણી જે પાત્રે પડે, તે જીવ ભાનમાં આવ્યા વિના રહે નહિ. જેનું તમામ કલ્યાણ કરનારી વાણી છે. હિંસકેને, ભયંકર પાપિઓને વાણી ઠારે છે. કેઈને સુધારે હોય, તો પણ વાણું કામ કરે છે. વિષય, કષાય, સમતાભાવ, ખેંચતાણ પણ વાણીથી જ છે ને? જગતમાં ક્લેશ પણ વાણી કરાવે છે. ફ્લેશકર, દુઃખદાયક વાણી સર્વજ્ઞની નથી. કલેશને હરનારી વાણી શ્રી વીતરાગની છે. શ્રી વતરાગની વાણીને અનુકૂળ રહેનારે તરે અને શ્રી વીતરાગની વાણને પ્રતિકૂળ રહેનારે મરે. દ્વાદશાંગીના વેગને પામીને, આરાધીને, અનન્તા તર્યા તથા વિરાધીને અનન્તા મર્યા. દ્વાદશાંગી સ્વતંત્રપણે નથી તે કેઈને તારતી કે નથી તે કેઈને ડૂબાવતી, પરંતુ એની આરાધના કરનારા પિતાની આરાધનાના બળે તરે છે અને એની વિરાધના કરનારા પિતાની વિરાધનાના કારણે ડૂબે છે. પ્રભુની વાણી તે એવી પ્રભાવક છે કે-સિંહ જેવા હિંસક પ્રાણિએ પણ એક વાર સાંભળી, તે એને તરત ખ્યાલ આવ્યું અને એણે હિંસાને તજી દીધી. પ્રભુની વાણીને પ્રભાવ જ એવો છે, પણ નાલાયકે તે સઘળા ય સારાના પ્રભાવને હઈયાં કરી જનારા હોય છે. સર્વ કલ્યાણનું મૂળ સર્વસવાણીઃ દુનિયાને ફાની કરનારી વાણીને વદનારા તે ઘણા છે, પણ દુનિયાને શાણું બનાવનારી વાણુને વદનારા વિરલ છે. એવા પણવિરલને પેદા કરનારી શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણી છે. આ સંસારમાં જે કાંઈ પણું સારું છે, તે શ્રી સર્વજ્ઞ ભગવાનની
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy