SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ત્યાં તે એના કુરચા જ ઉડી જાય. સાચી ભક્તિનું સાચું જેમ એ કઈ જુદી જ વસ્તુ છે. આખી ભેમનું જેમ પણ એની પાસે તે રદ જ છે. ; . શ્રી નાગકેતુમાં શું એટલી ય અક્કલ, એટલી ય સમજણ નહેતી કે-મારે હાથ દેવાથી તે કાંઈ આવડી મોટી શિલા. પડતી અટકી જવાની છે? પણ ખરી વાત એ જ છે કે-જ્યાં એકાન્ત ભક્તિમયતામાંથી જ પ્રગટેલું જેમ હોય છે, ત્યાં એવા વિચાર આવતા જ નથી. એને તો પોતાનાથી શક્યા એટલું બધું જ, બનતું બધું જ કરી લેવાની તમન્ના જગે છે. ધાર્યું પરિણામ આવે કે ન આવે, રક્ષણ થાય કે ન થાય, પણ મારે તે મારાથી બનતું કરી જ લેવું–આ ભાવના હોય છે. શ્રી નાગકેતુનું ધ્યેય શું હતું? પિતે જુએ અને શ્રી જિનપ્રસાદને વિવંસ થાય, એ એમને જોઈતું નહોતું. જીવવું તે શ્રી જિનપ્રાસાદનું રક્ષણ થાય એવી સ્થિતિમાં જીવવું, નહિ તો શ્રી જિનપ્રાસાદને વિધ્વંસ થતાં પહેલાં શ્રી જિનપ્રસાદનું રક્ષણ કરતે કરતે મૃત્યુને ભેટવું, આ શ્રી નાગકેતુનું ધ્યેય હતું. એટલે જ શ્રી નાગકેતુએ શ્રી જિનપ્રાસાદના શિખર ઉપર ચઢી જઈને, પિતાના હાથને ઉંચે કર્યો અને પિતાના હાથ વડે એ મહાશિલાને ધરી રાખી હોય-એવી રીતિએ શ્રી નાગકેતુ શિખર ઉપર ઉભા રહ્યા. . | શ્રી નાગકેતુનું મૃત્યુ એમ થવાનું નહતું, શ્રી જિનપ્રાસાદને વિધ્વંસ થવાને નહોતે, સારી ય નગરીનું રક્ષણ થવાનું હતું અને રાજાને ઉપદ્રવ પણ દૂર થવાનું હતું, એટલે બન્યું એવું કે–પેલે વ્યન્તરશ્રીનાગકેતુની તપશક્તિને
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy