SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ }} શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને મંગલબુદ્ધિએ પણ મંગલસ્વરૂપ સાધુ આદિને જ જ -જો ગ્રહણ કરાય તેા જ તે મંગલકારી અને: ‘મંગલસ્વરૂપ વસ્તુને પણ જો મ ગલબુદ્ધિથી ગ્રહણ કરાય તા જ તે વસ્તુ મંગલકારી થાય છે’–એમ શાસ્ત્રકાર મહા ત્માએ કહે છે. અને તે અનુસારે આપણે પણ એમ જ કહીએ છીએ; પરન્તુ આ વાતની સામે જો તર્ક કરવા હોય, તે તર્ક કરનાર એમે ય કહે કે-“ જો મંગલસ્વરૂપ સાધુ આદિને પણ મંગલમુદ્ધિથી ગ્રહણ કરાય તેા જ તે મંગલકારી અને છે, તા મંગલસ્વરૂપ વસ્તુ એ મહત્ત્વની વસ્તુ રહી નહિ, પણ મંગલમુદ્ધિ એ જ મહત્ત્વની વસ્તુ ઠરી. આમ હેાવાથી, અસાધુ આદિ જે મંગલસ્વરૂપ નથી અને અમાંગળસ્વરૂપ છે, તેવા અસાધુઓને પણ જો મંગળબુદ્ધિએ ગ્રહણ કરવામાં આવે, તા તે પણ માંગલકારી થવા જોઈ એ.” શાસ્ત્રકાર મહાપુરૂષોના કથનની સામે આવા તર્ક પણ કરાયા છે, પરન્તુ આ તર્ક ટકી શકયો નથી. એક સાદું દૃષ્ટાન્ત વિચારે. કાઈ સ્થલે હીરા અગર મણિ છે. એ મહા મૂલ્યવાન છે. એવા કિંમતી છે કે એ એક મળી જાય તેા ય આ ભવનું દળદર ફીટી જાય તેમ છે. એની એટલી કિંમત ઉપજે તેમ છે કે-મરતાં સુધી તમે ગમે તેટલું ખર્ચા, તે ય મરતી વખતે તમે વારસામાં મેાટી મુડીને મૂકીને જઈ શકે. આવેા કિંમતી હીરા કે મણિ રસ્તામાં પડવો હાય, તમારી ઠેસે પણ આવતા હોય, છતાં પણ તમે જો તેના ખરા મૂલ્યને જાણતા ન હેા, તે શું થાય ? કાં તા એ હીરાને કે મણિને તમે હાથમાં જ લેા નહિ અને કદાચ ચળકતી વસ્તુ સમજીને તે હીરાને કે મણને ઉઠાવી લે, તે પણ શું
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy